ભારતે આયર્લેન્ડ સામે સતત ત્રીજી T20 શ્રેણી જીતી

ભારતે આયર્લેન્ડ સામે સતત ત્રીજી T20 શ્રેણી જીતી

ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે T20 સિરીઝ જીતી લીધી છે. ટીમે 3 મેચની T20 શ્રેણીની બીજી મેચ 33 રને જીતી લીધી હતી. આ સાથે ભારતીય ટીમે બાઇલેટરલ સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી મેચ 23 ઑગસ્ટે રમાશે.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા ભારતે ડબલિનના ધ વિલેજ સ્ટેડિયમમાં 20 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવ્યા હતા. જવાબમાં આયરિશ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 152 રન જ બનાવી શકી હતી.

આયર્લેન્ડ તરફથી એન્ડ્રુ બલબિર્નીએ 72 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટર ચાલ્યો નહતો. જ્યારે ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી. તો અર્શદીપ સિંહને 1 સફળતા મળી હતી.

આઇરિશ ઓપનર એન્ડ્રુ બલબિર્નીએ T20 ઈન્ટરનેશનલમાં 2 હજાર રન પૂરા કર્યા. આ સીમાચિહ્ન સુધી પહોંચનાર તે બીજો આયરિશ બેટર બની ગયો છે. બાલબિર્નીએ ઇનિંગ્સનો 31મો રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી.

પાવરપ્લેમાં આયર્લેન્ડને 3 ફટકા પહોંચ્યા
186 રનના વિશાળ લક્ષ્યાંકને ચેઝ કરતા આયર્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી. પાવરપ્લેમાં ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમનો સ્કોર 6 ઓવરમાં 31 રન હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow