ભારતે વેસ્ટઈન્ડીઝ સામે સતત નવમી શ્રેણી જીતી

ભારતે વેસ્ટઈન્ડીઝ સામે સતત નવમી શ્રેણી જીતી

ભારતીય ટીમે વેસ્ટઈન્ડિઝ સામે સતત નવમી ટેસ્ટ શ્રેણી જીતી છે. ટીમે વર્તમાન શ્રેણીમાં 1-0થી જીત મેળવી હતી. શ્રેણીની બીજી મેચ ડ્રો રહી હતી. વેસ્ટઈન્ડિઝે છેલ્લે 2002માં ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી.

પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ વરસાદના નામે રહ્યો હતો. બપોર સુધી તૂટક તૂટક વરસાદ પડ્યો હતો અને એક પણ બોલ ફેંકવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમે પ્રથમ મેચ એક ઇનિંગ્સ અને 141 રને જીતી લીધી હતી. તેથી જ આ શ્રેણી ભારતીય ટીમે આ સિરીઝ જીતી લીધી છે.

રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડીએ મળીને 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે. એટલે કે બંનેએ એકસાથે ટેસ્ટ રમીને 500 વિકેટ લીધી છે, જેમાં અશ્વિને 274 અને જાડેજાએ 226 વિકેટ લીધી છે.

ટોચની વિકેટ લેનાર ભારતીય સ્પિન જોડીની વાત કરીએ તો અનિલ કુંબલે સાથે હરભજન સિંહે સૌથી વધુ 501 વિકેટ લીધી છે. અશ્વિન કે જાડેજા પાંચમા દિવસે 2 વિકેટ લેતાની સાથે જ આ રેકોર્ડ તોડી નાખશે.

વેસ્ટઈન્ડિઝે ચોથા દિવસની શરૂઆત 229/5ના સ્કોર સાથે કરી હતી અને ટીમ 255 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 5 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાએ બીજા જ દિવસે તેની બીજી ઇનિંગ પણ શરૂ કરી હતી. ટીમે 24 ઓવરમાં 2 વિકેટે 181 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. વેસ્ટઈન્ડિઝે બીજી ઇનિંગ શરૂ કરી અને ટીમે 2 વિકેટે 76 રન બનાવ્યા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow