ભારતે ત્રીજા જ દિવસે પહેલી ટેસ્ટ મેચ જીતી

ભારતે ત્રીજા જ દિવસે પહેલી ટેસ્ટ મેચ જીતી

ભારત અને વેસ્ઈન્ડીઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ત્રીજા જ દિવસે પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડીઝને એક ઇનિંગ અને 141 રનથી હરાવીને 2023-25 WTC સાઇકલનો શાનદાર જીતથી પ્રારંભ કર્યો છે. આ ટેસ્ટ મેચમાં અશ્વિને કુલ 12 વિકેટ ઝડપી છે. તેણે પહેલી ઇનિંગમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી. તેણે વિદેશમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.

અગાઉ ભારતે પહેલી ઇનિંગ 421 રન અને 5 વિકેટના નુક્સાને ડિક્લેર કરી હતી. ત્યારે ભારતે 271 રનની લીડ મેળવી હતી. જેના જવાબમાં કેરિબિયન્સ બીજી ઇનિંગમાં 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ રવિચંદ્રન અશ્વિને 7 વિકેટ ઝડપી હતી. જ્યારે રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી હતી. વેસ્ટઈન્ડીઝ તરફથી એલિક એથેનાઝે 28 રન અને જેસન હોલ્ડરે 20* રન બનાવ્યા હતા.

યશસ્વી જયવાલ અને રોહિત શર્માએ પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 76 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી 76 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ ટેસ્ટ કારકિર્દીની 29મી અડધી સદી ફટકારી છે.

યશસ્વી જયસ્વાલ 171 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્મા 103 અને શુભમન ગિલ 6 રન બનાવીને આઉટ થયા હતા અને રહાણેએ 3 રન બનાવ્યા હતા. ઈશાન કિશન (1) અને રવીન્દ્ર જાડેજા (37) અણનમ પરત ફર્યા હતા. વેસ્ટઈન્ડીઝ તરફથી ડેબ્યુટન્ટ્સ એલિક એથેનાઝ, જોમેલ વોરિકન, અલ્ઝારી જોસેફ અને કેમર રોચે એક-એક વિકેટ મેળવી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow