11 વર્ષ પછી વાનખેડેમાં જીત્યું ભારત

11 વર્ષ પછી વાનખેડેમાં જીત્યું ભારત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાને પહેલી વન-ડેમાં 189 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ટીમે ઓવરમાં 5 વિકેટે ચેઝ કરી લીધો હતો. આ જીતના હીરો શમી, સિરાજ, કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા રહ્યા છે. કેએલ રાહુલે સૌથી વધુ 75* રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ 45* રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે 123 બોલમાં 108* રનની પાર્ટનરશિપ થઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી. તો માર્કસ સ્ટોઇનિસે 2 વિકેટ લીધી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની વન-ડે સિરીઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. હવે બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે.

રવીન્દ્ર જાડેજાએ પોતાની 300મી ઈન્ટરનેશનલ મેચમાં પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ જીત્યો
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા આજે 8 મહિના પછી વન-ડે મેચ રમી રહ્યા હતા. આ ઉપરાંત આજે તેમની 300મી ઈન્ટરનેશનલ મેચ હતી. જેમાં તેઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રવીન્દ્ર જાડેજાએ બોલિંગમાં 9 ઓવરમાં 46 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ઉપરાંત માર્નસ લાબુશેનને અકલ્પનિય કેચ કર્યો હતો.

તો બેટિંગમાં પ્રેશરવાળી પરિસ્થિતિમાં આવીને કેએલ રાહુલ સાથે 108 રનની પાર્ટનરશિપ કરી હતી. જેમાં તેમણે 65 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 45* રન ફટકાર્યા હતા. તેમના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ જીત્યો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow