ભારતે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે 288 રન બનાવ્યા

ભારતે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે 288 રન બનાવ્યા

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની 2 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ મેચ ત્રિનિદાદ (પોર્ટ ઓફ સ્પેન)ના ક્વિન્સ પાર્ક મેદાન પર રમાઈ રહી છે. વેસ્ટઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે 288 રન બનાવ્યા છે. દિવસના અંત સુધીમાં વિરાટ કોહલી 87 રને અને રવીન્દ્ર જાડેજા 36 રને અણનમ પરત ફર્યા છે. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 106* રનની પાર્ટનરશિપ થઈ છે.

500મી ઈન્ટરનેશનલ મેચ રમી રહેલા કોહલીએ 30મી ટેસ્ટ ફિફ્ટી ફટકારી છે. તો કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ કારકિર્દીની 15મી ટેસ્ટ ફિફ્ટી મારી હતી. રોહિત 80 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલે પહેલી અડધી સદી મારી હતી. જયસ્વાલે 57 રન, શુભમન ગિલે 10 રન અને અજિંક્ય રહાણેએ 8 રન બનાવ્યા હતા.

છેલ્લી મેચમાં ડેબ્યૂ કરનાર યશસ્વી જયસ્વાલે પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારી છે. તેણે 74 બોલમાં 57 રન બનાવ્યા હતા. જયસ્વાલ જેસન હોલ્ડરે મેકેન્ઝીના હાથે કેચ આઉટ થયો હતો.

રોહિત-જયસ્વાલની સદીની ભાગીદારી
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડીએ સદીની ભાગીદારી નોંધાવી છે. બંનેએ પ્રથમ વિકેટ માટે 194 બોલમાં 139 રન જોડ્યા હતા. પ્રથમ મેચમાં આ જોડીએ 229 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow