એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ, જય શાહે જાહેર કર્યું ACCનું બે વર્ષનું કેલેન્ડર

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ, જય શાહે જાહેર કર્યું ACCનું બે વર્ષનું કેલેન્ડર

ક્રિકેટ ફેન્સ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. જેમાં એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાનની ટીમ એક વખત ફરી આમને-સામને હશે. આ જાણકારી એશિયન ક્રિકેટ કાઉન્સીલનાં અધ્યક્ષ જય શાહે તેમના ટ્વિટરના માધ્યમથી  આપી છે.  જય શાહે વર્ષ 2023 અને 2024 માં ટીમ ઈન્ડિયા દ્વારા સમગ્ર કાર્યક્રમ રજૂ કરી દીધો છે. જેથી ક્રિકેટ પ્રેમીઓ એક વખત ફરી મેદાન પર ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો જોઈ શકશે.  આ વખતે એશિયા કપ પાડોશી દેશ પાકિસ્તાનમાં રમાવાનો છે.  એશિયા કપ 2023  ને લઈને પહેલા જ બંને દેશો વચ્ચે એકબીજા પર આક્ષેપબાજી થઈ ચૂકી છે. જય શાહે સ્પષ્ટ કીધું છે કે ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહી જાય.

જય શાહના નિવેદનને લઈને પાકિસ્તાન ધૂઆપૂઆ

જય શાહના નિવેદનને લઈને પાકિસ્તાન ધૂઆપૂઆ થઈ જવા પામ્યું છે.  આના જવાબમાં પૂર્વ પીસીબી ચેરમેન રમીઝ રાજાએ કહ્યું હતું કે પાકિસ્તાન- ભારતમાં થનાર વર્લ્ડ કપમાં ભાગ નહી લે. ત્યારે હાલમાં તો  વિવાદ ગરમાયો છે. જેથી કોઈ નિર્ણય થયો નથી કે એશિયા કપ પાકિસ્તાનમાં રમાશે કે નહી. એશિયા કપ 2023 ની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં આ ટૂર્નામેન્ટ રમાશે. આ વખતે એ અને બી ગ્રુપ 2 જ ગ્રુપ રાખવામાં આવ્યા છે. ત્યારે આ ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન બંને એ ગ્રુપમાં છે. તે સિવાય બી ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન હશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શ્રીલંકાની ટીમ એશિયા કપમાં વિજેતા રહી હતી. શ્રીલંકાએ ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. વર્ષ 2022 માં એશિયા કપ યુએઈમાં રમાયો હતો. ત્યારે ગત એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક હતું. ટીમ ઈન્ડિયા સુપર-4 રાઉન્ડમાં પણ જગ્યા બનાવી શકી ન હતી. જેના માટે ચાહકોનો ગુસ્સો પણ જોવા મળ્યો હતો.

ગયા વર્ષે એશિયા કપમાં બે વખત ભારત-પાકિસ્તાન અમને-સામને હતી

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો ગયા વર્ષે  એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં આમને-સામને હતી. એશિયા કપમાં બે વખત મેચ રમાઈ ચૂકી છે.  જેમાં એક વખત ટીમ ઈન્ડિયા અને એક વખત પાકિસ્તાન જીત્યું હતું. ત્યારબાદ ટી-20 વર્લ્ડ કપમાં જ્યારે પાકિસ્તાન સામે આવ્યું ત્યારે વિરાટની બહાદુરીના કારણે ભારતે જીતનો ઝંડો લહેરાવ્યો હતો.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow