ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ અમેરિકામાં યોજાશે

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ અમેરિકામાં યોજાશે

ICC તેની દરેક ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી એક ભારત-પાકિસ્તાન મેચનું આયોજન કરે છે. આ બન્ને કટ્ટર હરીફો 2024ના T20 વર્લ્ડ કપમાં પણ ટકરાશે. આ વર્લ્ડ કપ વેસ્ટઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે યોજાનાર છે. અમેરિકન ક્રિકેટ બોર્ડના પ્રમુખ અતુલ રાયે દાવો કર્યો છે કે ભારત-પાકિસ્તાનની મેચ વેસ્ટઈન્ડિઝમાં નહીં પણ અમેરિકામાં થશે.

રાયે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'ફ્લોરિડામાં ભારત-વેસ્ટઈન્ડિઝની મેચને સ્થાનિક પ્રશંસકો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. મેચની તમામ ટિકિટો વેંચાઈ ગઈ હતી. એટલા માટે અમને લાગે છે કે જો ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ પણ અહીં યોજાય તો તેને ચાહકોનો જબરદસ્ત સમર્થન મળશે.'

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઑગસ્ટમાં ભારતે વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 5 T20 અને 3 વન-ડે સિરીઝ રમી હતી. છેલ્લી T20 ફ્લોરિડામાં રમાઈ હતી, જે ભારતે 88 રને જીતી હતી. ટીમ ઈન્ડિયાએ આ T20 સિરીઝ 4-1થી પોતાના નામે કરી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow