ભારત વૈશ્વિક સ્તરે ટોચનું સેમી કન્ડક્ટર સપ્લાયર બનવા કટિબદ્

ભારત વૈશ્વિક સ્તરે ટોચનું સેમી કન્ડક્ટર સપ્લાયર બનવા કટિબદ્

વૈશ્વિક સેમીકન્ડક્ટર માર્કેટમાં વિપુલ તકને ધ્યાન રાખતા ભારત આગામી કેટલાક વર્ષોમાં વૈશ્વિક સ્તરે સેમીકન્ડક્ટર સેક્ટરના ટોચના સપ્લાયર બનવાના લક્ષ્યાંક સાથે આ સેક્ટરમાં 10 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે ‘લર્નિંગ ફ્રોમ સેમીકન્ડક્ટર સપ્લાય શોક્સ’ સેશનને સંબોધિત કરતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે એક વિશાળ માર્કેટમાં સેમીકન્ડક્ટરની મોટા પાયે જરૂરિયાત રહે છે ત્યારે ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલેન્ટ પૂલ અને ટેક્નોલોજી સેગમેન્ટમાં ક્ષમતા ધરાવે છે. અમે ઇન્ડસ્ટ્રી માટે કુશળ પ્રોફેશનલ્સ તૈયાર કરવા માટે દેશની અનેક અગ્રણી યુનિવર્સિટીઓ સાથે કરાર કર્યા છે. જેનાથી પણ સેમીકન્ડક્ટર સેકટર માટે મોટા પાયે કુશળ પ્રોફેશનલ્સ તૈયાર થઇ રહ્યા છે. સરકાર પોતે પણ સેમીકન્ડક્ટર સેક્ટરમાં 10 અબજ ડોલરનું જંગી રોકાણ કરવા જઇ રહી છે અને લાંબા ગાળા માટેની બ્લૂ પ્રિન્ટ પણ તૈયાર છે.

સમગ્ર વિશ્વ માટે ભારત અગ્રણી સેમીકન્ડક્ટર સપ્લાયર બનવા માટેની ક્ષમતા ધરાવે છે અને ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને અન્ય કટિંગ એજ ટેક્નોલોજીની તાજેતરની જરૂરિયાતને પહોંચી વળવા માટે પણ પ્રયાસરત છે. આગામી સમયમાં સેમીકન્ડક્ટરની મોટા પાયે માંગ જોવા મળશે તેની અમને ખાતરી છે. સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી આગામી 6-7 વર્ષ દરમિયાન 1 ટ્રિલિયન ડોલરને આંબે તેવી શક્યતા છે અને ઝડપી ગતિએ વિસ્તરણ પામશે. સરકાર પર્યાવરણને લઇને પણ સતર્ક છે અને નવી ફેકટરીઓને ગ્રીન એનર્જી પૂરી પાડવા માટે પણ પ્રતિબદ્વ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow