ભારતમાં રશિયાની વસ્તી જેટલા શરાબી, અમેરિકાની વસ્તી જેટલા ડ્રગ એડિક્ટ

ભારતમાં રશિયાની વસ્તી જેટલા શરાબી, અમેરિકાની વસ્તી જેટલા ડ્રગ એડિક્ટ

ભારતમાં ડ્રગના નશાને લઈને ગંભીર આંકડાઓ સામે આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે કરાયેલા એક સરવેમાં સામે આવ્યું છે કે 10થી 75 વર્ષની વયજૂથમાં ડ્રગ્સના બંધાણીઓની સંખ્યા 37 કરોડને પાર પહોંચી છે. આ સંખ્યા વિશ્વના ત્રીજા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ અમેરિકા કરતાં વધુ છે.

આ સરવે AIIMSના નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર દ્વારા સમાજ કલ્યાણ અને સશક્તીકરણ મંત્રાલય દ્વારા હાથ ધરાયો હતો. નશાની લતમાં દારૂ પીનારાઓની સંખ્યા 16 કરોડ સુધી પહોંચી છે, જે રશિયાની વસ્તી જેટલી છે. દારૂ પીનારાઓમાં લગભગ 19 ટકા એવા છે જેઓ દારૂ વિના રહી શકતા નથી.

સરવે મુજબ, 17 વર્ષથી ઓછી ઉંમરનાં 20 લાખ બાળકો એવાં છે જેઓ ગાંજાના વ્યસની છે અને 2.26 કરોડ લોકો એટલે કે કુલ વસ્તીના 2.1 ટકા લોકો અફીણ, હેરોઈન અને બ્રાઉન જેવી ડ્રગ્સના નશામાં સપડાયેલા છે. વ્યસનમુક્તિ અભિયાન માટે દેશના 272 જિલ્લાઓની પસંદગી કરાઈ હતી, જે દારૂ અને અન્ય પ્રકારના ડ્રગ્સ માટે સંવેદનશીલ ગણવામાં આવ્યા છે. બાદમાં તેમાં વધુ 100 જિલ્લાઓનો સમાવેશ કરાયો હતો. હવે આ ઝુંબેશ હેઠળ 3.34 કરોડ યુવાનોને વ્યસનમુક્ત કરવા માટે સંપર્ક કરાયો છે.

10થી 17 વર્ષની વય જૂથનાં બાળકોમાં અફીણ, ડ્રગ્સ જેવા નશાનો ઉપયોગ વધી રહ્યો છે. જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, બિહાર, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને પ.બંગાળ સામેલ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow