રોગ પ્રતિકારક શક્તિ વધશે તો કબજિયાત અને અપચામાં ફાયદાકારક, જાણો કોકમ ખાવાની સાચી રીત

રોગ પ્રતિકારક શક્તિ વધશે તો કબજિયાત અને અપચામાં ફાયદાકારક, જાણો કોકમ ખાવાની સાચી રીત

અનેક મસાલા તો સ્વાદમાં તો વધારે કરે છે પરંતુ હેલ્થ માટે ફાયદાકારક રહેશે. કોકમ એક ઔષધીય ફળ છે. તેનું બોટનિકલ નામ ગાર્સિનિયા ઇન્ડિકા છે. તેમાં ગારસીનોલ અને હાઈડ્રોક્સાઈટ્રીક એસિડ જોવા મળે છે,  

તેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ છે. કેલરી ઓછી અને ફાઈબરથી ભરપૂર હોવાને કારણે કોકમ હૃદય માટે ફાયદાકારક છે. તે એક શક્તિશાળી એન્ટી ઑકિસડન્ટ છે. આયુર્વેદાચાર્ય અમિત સેન જણાવી રહ્યા છે કોકમ ખાવાના ફાયદા.  

હેલ્ધી લીવર માટે કોકમ ખાઓ
કોકમમાં ગારસીનોલ હોય છે, જે એક બાયોએક્ટિવ કમ્પાઉન્ડ છે જે એન્ટીઑકિસડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ તરીકે કામ કરે છે. કોકમ લીવરને સ્વસ્થ બનાવે છે. NCBI (નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન)ની વેબસાઈટ પર પ્રકાશિત મેડિકલ રિસર્ચમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોકમનું સેવન લીવર સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

પેટ ખરાબ છે તો કોકમ ખાઓ
જો ઝાડાની સમસ્યા હોય તો કોકમનો ઉપયોગ કરવામાં આવે તો રાહત થઇ શકે છે. કોકમ ફળમાં એવા ગુણ હોય છે જે નાથી ઝાડાને કંટ્રોલ કરી શકાય છે. જે લોકોને વારંવાર ઝાડાની સમસ્યા થતી હોય તો કોકમનો રસ પીવો જોઈએ. જો પાચન સંબંધી સમસ્યા હોય તો કોકમનું સેવન કરો. પેટ ફૂલવું, કબજિયાત અને અપચોમાં પણ કોકમ ખાવાથી ફાયદો થાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે
કોકમ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. કોકમમાં રહેલા ગુણો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સ્થિતિમાં એવું કહી શકાય કે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે જે લોકો વારંવાર બીમાર રહે છે તેમના માટે કોકમ ફાયદાકારક માનવામાં આવે છે.  

પાઈલ્સમાં ફાયદાકારક
કોકમ ખાવાથી પાઈલ્સમાં ફાયદો થાય છે. કોકમમાં એન્ટી-પાઈલ્સ ગુણ હોય છે. કોકમની છાલ અને ઝાડના પાનનો રસ પીવાથી પણ ફાયદો થાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow