સમય ગુમાવ્યા વગર તમારા ડાયટમાં આ વસ્તુને સામેલ કરી દો, લોહી તો વધશે જ સાથે ત્વચાનો રંગ પણ નિખરી ઊઠશે

સમય ગુમાવ્યા વગર તમારા ડાયટમાં આ વસ્તુને સામેલ કરી દો, લોહી તો વધશે જ સાથે ત્વચાનો રંગ પણ નિખરી ઊઠશે

આમ તો ટામેટાં આપણાં ભોજનનો મહત્ત્વનો હિસ્સો છે. જો તમે તેનો તમારા ભોજનમાં ઉપયોગ નથી કરતાં તો હવે સમય ગુમાવ્યા વગર તમારા ડાયટમાં ફેરફાર કરો. નિયમિત ટામેટાંનો ખાવામાં ઉપયોગ કરીને એકદમ હેલ્ધી રહો.  


જો તમને શરીરમાં લોહીની ઊણપ વર્તાતી હોય અને ચહેરો ફિક્કો પડી ગયો હોય તો શક્ય તેટલાં વધુ ટામેટાં ખાઓ. આનાથી તમારું લોહી તો વધશે જ સાથે ત્વચાનો રંગ પણ નિખરી ઊઠશે.

ટામેટાંમાં લોહતત્વની માત્રા ઘણી વધારે
ટામેટાંમાં લોહતત્ત્વની માત્રા દૂધની સરખામણીએ બે ગણી અને ઈંડાંની તુલનાએ પાંચ ગણી હોય છે. વિટામિન-એ, બી, સી સિવાય તેમાં પોટેશિયમ તેમજ તાંબુ હોય છે. લોહતત્ત્વની દૃષ્ટિએ અન્ય તમામ ફળોમાં તે સર્વશ્રેષ્ઠ છે. તે લોહીની ઊણપ દૂર કરી શરીરને પુષ્ટ, સુડોળ અને સ્ફૂર્તિલું
બનાવે છે.

ટમેટા ખાવાથી વજન વધતું નથી
ટામેટાંને પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી એટલાં પરિપૂર્ણ માનવામાં આવે છે કે જો સવારના નાસ્તામાં તમે માત્ર બે ટામેટાં પણ ખાઈ લો તો તે સંપૂર્ણ ભોજન બરાબર થઈ જાય છે, તેનાથી વજન બિલકુલ વધતું નથી અને તે શરીરના નાના-મોટા વિકારો દૂર કરે છે, તેનાથી પેટ સાફ આવે છે અને દાંત તેમજ પેઢાંની નબળાઈ દૂર કરવામાં, ચહેરાનું તેજ વધારવામાં અને શરીરની નિર્બળતા દૂર કરવા માટે ટામેટાંનું નિયમિત સેવન કરવું જોઈએ.

ટામેટાં ખાવાના ફાયદા સમજી લો

  • ખાતાં પહેલાં પાકેલું લાલ ટામેટું કાપી તેના પર સિંધવ મીઠું અને કાળાં મરીનો ભૂકો નાખી તેને આદું સાથે ખાઓ, ત્યાર બાદ ભોજન કરો. આ રીતે ખાવાથી પાચનક્રિયા ફાસ્ટ થશે.
  • ટામેટાંના નિયમિત સેવનથી મોઢાનાં ચાંદાં સારાં થઈ જાય છે. કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
  • આ સિવાય ડાયાબિટિસ અને આંખની નબળાઈ જેવા રોગ પણ ટામેટાંના સેવનથી દૂર રહે છે.
  • ગર્ભવતી સ્ત્રી અને વૃદ્ધોએ પણ શિયાળામાં ટામેટાંનું નિયમિત સવારે સેવન કરવું જોઈએ. આ તેમના માટે ટોનિકનું કામ કરશે.
  • દરરોજ સવારે ત્રણ-ચાર ટામેટાં કાચાં જ ખાઈ શરીરને સ્વસ્થ-બળવાન બનાવી શકાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow