સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ:

સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ:

સુરતમાં થોડા સમય અગાઉ ગ્રીષ્મા નામની યુવતીની તેના પ્રેમીએ સરાજાહેર હત્યા નિપજાવી હતી. આ ઘટનાને લઈને રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પૂર્વ પ્રેમી કાળ બનીને યુવતી પર ત્રાટક્યો હતો અને યુવતીને ગળા પર કટર ફરવી દેતા યુવતીને ગંભીર ઇજા થવા પામી હતી. જેને લઈને દેકારો બોલી ગયો હતો.

યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા આરોપી અકળાયો

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર સુરતના ઉમરપાડાના જીઆઇડીસી વિસ્તારમાં રહી યુવતી નોકરી કરતી હતી. આ દરમિયાન 2019માં યુવતીની ઓળખ આરોપી રામસિંહ સાથે થઈ હતી. ત્યારબાદ ત્રણ વર્ષ અગાઉ બન્ને વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો. જોકે આ દરમિયાન આરોપી અવારનવાર ઝઘડા કરી અને યુવતીને ટોર્ચર કરતો હતો. જેને પગલે યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. આથી ધરાર પ્રેમી અકળાયો હતો અને આરોપી પ્રેમસંબંધ રાખવા યુવતીને દબાણ કરતો હતો.આ બાબતે બન્ને વચ્ચે માથાકૂટ થઇ હતી. અગાઉ પણ આરોપીએ યુવતી પર જાહેરમાં માથાકૂટ કરી હતી. જોકે તે સમયે લોકોનું ટોળું એકઠું થતા આરોપી ભાગી છૂટ્યો હતો.

સચિનના સુડા વિસ્તારમાં કર્યો હુમલો

ત્યારબાદ ફરી બુધવારે યુવતી નોકરી પર જતી હતી. આ વેળાએ તેને અટકાવી આરોપી રામસિંહે ઝઘડો કર્યો હતો. જે દરમિયાન એકદમ ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી દેતા યુવતીને ગંભીર ઇજા થવા પામી હતી. આથી યુવતનીએ લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. બીજી બાજુ આ અંગે સચિન પોલીસને જાણ થતાં પોલીસે સ્ટાફ દોડી આવ્યો હતો અને મામલાની તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે. હાલ આ મુદ્દો કાર્યવાહી ચાલી રહી છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow