ઉત્તરાખંડમાં રેતી માટે 4 નદી ખોદવા મંજૂરી, 12 લાખ લોકોને અસર થશે

ઉત્તરાખંડમાં રેતી માટે 4 નદી ખોદવા મંજૂરી, 12 લાખ લોકોને અસર થશે

ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓ પર બનેલા પુલ તૂટતા અત્યાર સુધી દસથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ દરમિયાન રાજ્ય સરકારે ચોમાસાના ત્રણ મહિનામાં કુમાઉ ક્ષેત્રની ચાર નદી ગોલા, શારદા, દાપકા અને કોશીમાં રેત ખનનને મંજૂરી આપી છે. ખરેખર રાજ્યમાં વર્ષના નવ મહિના જ રેત ખનન થાય છે. આ વખતે આશરે રૂ. 130 કરોડની આવક મેળવવા આ મંજૂરી અપાઈ છે. ચોમાસામાં રેત ખનનથી નદીઓનો માર્ગ બદલાઈને નુકસાનની આશંકા રહે છે. આ ચારેય નદીના કિનારે વસેલા હલદ્વાની અને અલમોડા જેવાં શહેરો સહિત આશરે 12 લાખની વસતી પર પૂરનો ખતરો સર્જાયો છે. હકીકતમાં આ નદીઓમાં ચોમાસામાં રેતી ખનનની મંજૂરી આપવા ઉતાવળમાં કાર્યવાહી કરાઈ હતી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હાલમાં જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પાસે ખનનની મંજૂરી આગામી દસ વર્ષ માટે વધારી લેવડાવી હતી. ત્યાર પછી મુખ્યમંત્રી કાર્યાલયે નિવેદન આપ્યું હતું કે રેત ખનનની મંજૂરી માંગવાનું કારણ એ હતું કે રાજ્યમાં અનેક નિર્માણકાર્યો ચાલે છે. તેના માટે રેતીની જરૂર છે. આ ઉપરાંત નદીઓમાં ખનન ઉદ્યોગમાં આશરે 50 હજાર સ્થાનિકો જોડાયેલા છે. ચોમાસામાં ખનન રોકવાથી આ બધા નિર્માણકાર્યોને અસર થાત.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow