દેશના આ રાજ્યોમાં ઓમિક્રૉનના સબ વેરિયન્ટે પકડી રફતાર, કેન્દ્રએ આપી મોટી સલાહ, આ બાબતોનો કરો કડક અમલ

દેશના આ રાજ્યોમાં ઓમિક્રૉનના સબ વેરિયન્ટે પકડી રફતાર, કેન્દ્રએ આપી મોટી સલાહ, આ બાબતોનો કરો કડક અમલ

દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કોરોનાએ રીતસરનો કાળો કહેર વરસાવ્યો છે. પરિણામેં લોકોમાં ચિંતા જન્મી છે. સાથે સાથે કોરોનાના આ ખતરાને ટાળવા માટે આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 9 દિવસમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 હજારને પાર કરી ગઈ છે. જેને લઈને કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડમાં કાર્યવાહી હાથ ધરી રહી છે. કેન્દ્ર સરકારે દરરોજના કેસના આધારે 5 થી 6 રાજ્યોની ઓળખ કરી છે જેમાં કોરોનાના કેસોમાં બમણો વધારો નોંધાતો હોય!

ગુજરાતમાં પણ લગભગ 60 ટકા સેમ્પલમાં  XBB.1.16ની હાજરી

બાદમાં સરકાર દ્વારા ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તેલંગાણા અને કર્ણાટકનો સમાવેશ થાય છે. અને તેઓને કોરોના વાયરસ અંગેના નિયમોનું સ્પષ્ટ પણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. મહત્વનું  છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના વાયરસના વેરિયન્ટ ઓમીક્રોનનો સબ વેરિયન્ટ XBB.1.16  રાજ્યમાં બુલેટગતિએ આગળ વધી રહ્યો છે.  લગભગ કોરોના ટેસ્ટમાં નગરમાં 75, મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં, મુંબઈના 42 , પુણેના 93, અમરાવતીના 42, તથા ગુજરાતમાં પણ લગભગ 60 ટકા સેમ્પલમાં  XBB.1.16ની હાજરી જોવા મળી છે.

ઓમિક્રોન વેરિઅન્ટના XBB.1.16ને ને જવાબદાર

સરકારના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા તેજ ગતિએ આગળ વધી રહી છે. જોકે કોરોના કહેરનો ભોગ બનતા દર્દીઓની સંખ્યામાં થઈ રહેલો વધારો ઓમિક્રોન વેરિઅન્ટના XBB.1.16ને ને જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે. જે વધારા પાછળ સબ-વેરિઅન્ટનર જવાબદાર માનવામાં આવે છે. ઓમિક્રોનના આ સબ-વેરિઅન્ટને કારણે દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.5 રાજ્યમાં રોજ 10 હજારથી વધુ કોરોના ટેસ્ટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં રોજ 33 હજાર, બિહારમાં 19 હજાર અને ગુજરાતમાં 14 હજાર તેજ રીતે કર્ણાટકમાં 10 હજાર અને મહારાષ્ટ્રમાં 7 હજાર લોકોના ટેસ્ટ કરાઈ રહયા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow