મોડી રાત્રે માંજલપુર સહિત સ્થળે વરસાદી ઝાપટાં પડ્યાં

મોડી રાત્રે માંજલપુર સહિત સ્થળે વરસાદી ઝાપટાં પડ્યાં

શહેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા જ ગરમીનો પારો 33 ડિગ્રીને પાર થઈ ગયો છે. જો કે મોડી રાત્રે માંજલપુર સહિત કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં ફરી ગરમીનો પારો ગગળ્યો હતો. જો કે હવામાન વિભાગ મુજબ ગુરૂવારે ગરમીનો પારો 34 ડિગ્રી નોંધાઈ શકે છે. બીજી તરફ શહેરના વાતાવરણમાં બુધવારે બપોર બાદ વાદળો જોવા મળ્યાં હતાં. ત્યારે આગામી બે દિવસ સુધી શહેરમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે.

માર્ચમાં વડોદરામાં કરાં પડવાની ઘટના પ્રથમ વખત બની હતી. ઉનાળાની શરૂઆત માર્ચથી થતી હોય છે. પરંતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માર્ચમાં વરસાદ પડતા ગરમીનો પારો ઘટ્યો હતો. હવે એપ્રીલમાં ગરમી વધવાની સંભાવના છે. હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ શહેરમાં 22 માર્ચના રોજ મહત્તમ તાપમાનનો પારો 33.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 22.8 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 80 ટકા અને સાંજે 36 ટકા નોંધાયું હતું. જ્યારે દક્ષિણ-પશ્ચિમની દિશાથી 9 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow