રાજકોટમાં સગર્ભા પત્નીને ઢસડીને મા૨માર્યો, ગળું દબાવી 'પાછી આવી તો મારી નાખીશ' કહી ઘરની બહાર કાઢી મૂકી

રાજકોટમાં સગર્ભા પત્નીને ઢસડીને મા૨માર્યો, ગળું દબાવી 'પાછી આવી તો મારી નાખીશ' કહી ઘરની બહાર કાઢી મૂકી

રાજકોટ શહેરમાં પતિના ત્રાસનો ઘટના સામે આવી છે. જ્યાં સગર્ભા પત્નીને ઢસડીને ઢોર મા૨માર્યા બાદ તેનું ગળું દબાવી પતિએ 'પાછી આવી તો મારી નાખીશ' કહીને ઘરની બહાર કાઢી મૂકી હતી. આ મામલે પરિણીતાએ તેમના પતિ કેતન કમલેશભાઇ દોશી, સસરા કમલેશભાઇ, સાસુ હર્ષાબેન અને રાજકોટના સિલ્વર હાઈટ્સમાં રહેતા કાકાજી સસરા મુકેશ ચંકાંતભાઈ દોશી વિરુધ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પતિને પરસ્ત્રી સાથે સંબંધ હતા
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ત્રણ સંતાન છે તેમના લગ્ન 14 વર્ષ પહેલા કેતન દોશી સાથે થયા હતા. હાલ પતિથી 8 મહિનાની અલગ ૨હે છે પતિને પરસ્ત્રી સાથે સંબંધ હતા જેની જાણ પરિણીતાને થઈ જતાં તે બાબતે પતિ અને સાસુને વાત ક૨તા સાસુ કહેતા કે આજકાલ બધા પુરૂષો આવા જ હોય છે. સસરા પણ ગાળો બોલી ત્રાસ આપતા હતા. તેમજ સસરા કમલેશભાઈ કહેતા કે કેતન સુધરી જશે હવે પછી આવુ નહીં કરે જેથી પરિણીતા તેમના બાળકોને ભવિષ્ય ન બગડે તે માટે બધુ સહન ક૨તા હતા.

હવે પછી આવું નહીં થાય
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, પતિએ થોડા સમય બાદ ફરી અન્ય સ્ત્રીઓ સાથે વાતો ક૨વાનું ચાલુ કરી દીધુ હતું. આ બાબતે પરિણીતાના ભાઈ અને તેમના પિતાએ જમાઈને સમજાવવા આવ્યા હતા ત્યારે પતિએ 'હવે પછી આવું નહીં થાય' તેવું કહ્યું હતું. ત્યા૨બાદ પરિણીતા પ્રેગ્નેન્ટ ત્યારે પતિ સંબધ બાંધવા બાબતે માનસિક ટોર્ચ૨ કરતો હતો.

પતિએ બેફામા મા૨માર્યો
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, જયારે સાસુ-સસરાને આ વાત કરી ત્યારે તેઓ પણ કેતનને સપોર્ટ ક૨તા હતા તેમજ પતિ પરિણીતા પર રોષે ભરાયો હતો અને પરિણીતાને ઢસડીને મા૨માર્યો હતો તેમજ ગળુ પકડી ઈજા પણ કરી હતી. ત્યા૨બાદ ગઈ તા.10/3 ના રોજ પતિએ ઘ૨ની બહા૨ ધકકો મારીને કાઢી મુકી હતી અને પાંચેક મહિના પહેલા પતિએ ધમકી આપી હતી કે 'જો તું પાછી નહીં આવ તો તને મારી નાખીશ' ત્યા૨બાદ પરિણીતાના કાકાની નજ૨ સામે જ પિય૨માં આવી પતિએ બેફામા મા૨માર્યો હતો.

સોનાના દાગીના તું ચોરી ગઈ
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે,સાસરિયાઓ સાથે સાતથી આઠ વખત સમાધાનના પ્રયાસ ર્ક્યા છતા પતિ કે સાસરિયાઓ સુધ૨તા ન હતા. ત્યા૨બાદ પોતે માવતરે આવી ગઈ ત્યારે સોનાના દાગીના સાસરિયા વાળાઓ પાસે હોય જે મામલે પતિએ આક્ષેપ ર્ક્યો હતો કે 'સોનાના દાગીના તું ચોરી કરીને લઈ ગયેલ છે.' તેમજ પતિ અવા૨નવા૨ ચારિત્ર્ય અંગે શંકા કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોવાથી ના છુટકે પોલીસમાં ફરિયાદ કરી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow