રાજકોટમાં પિતા સાથે લોનની લેવડદેવડ મુદ્દે પતિ માર મારતો,સાસુ પતિને ચડામણી કરતા

રાજકોટમાં પિતા સાથે લોનની લેવડદેવડ મુદ્દે પતિ માર મારતો,સાસુ પતિને ચડામણી કરતા

શહેરના અંબાજી કડવા પ્લોટમાં છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં રહેતી દેવાંગી નામની પરિણીતાએ વાવડી ગામે રહેતા પતિ કેવલ વિનોદભાઇ ઉછડિયા અને સાસુ વિલાસબેન સામે ફરિયાદ નોંધાવી છે. બીબીએ સુધીનો અભ્યાસ કરનાર પરિણીતાની ફરિયાદ મુજબ, કેવલ સાથે 2019માં પ્રેમલગ્ન બાદ આર્યસમાજથી લગ્ન કર્યા છે. લગ્નજીવન દરમિયાન એક પુત્રી હતી, પરંતુ પાંચ મહિનાની હતી ત્યારે તેનું મૃત્યુ નીપજ્યું હતું. લગ્ન કરી સાસરે ગયા બાદ એક વર્ષ સુધી સરખું ચાલ્યું હતું.

બાદમાં પતિ નાની નાની બાબતોએ ઝઘડા કરી માર મારતો અને માતા-પિતાને ગાળો ભાંડતો હતો. આ સમયે સાસુ વિલાસબેન પોતાના વિશે ખોટી વાત કરી પતિને ચડામણી કરતા હતા. જેને કારણે પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. સાસુના ત્રાસથી પતિ સાથે ભાડાના મકાનમાં અલગ રહેવા જતા રહ્યા હતા. ત્યાં પણ પતિ હેરાન કરતા હતા. દરમિયાન પતિને પિતા સાથે બેંક લોન બાબતે પૈસાની લેવડદેવડ કરી હતી. તે મુદ્દે પતિ માર મારતા હતા.

જેને કારણે એક મહિનો પોતે માવતર જતી રહી હતી. ત્યાર બાદ હવે હું ઝઘડા નહિ કરું તેમ કહી પતિ પોતાને ફરી સાથે લઇ ગયો હતો. માફી માગ્યા બાદ પણ પતિમાં કોઇ ફેરફાર થયો ન હોય તેમ ઝઘડાઓ ચાલુ રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. ત્યારે ત્રણ મહિના પૂર્વે પતિ તેમજ સાસુનો ત્રાસ અનહદ વધી જતા માવતરે આવી છું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow