રાજકોટમાં નાણાં ચૂકવી દેવા છતાં વધુ ઉઘરાણી કરી પિતા-પુત્રોએ યુવાનને માર માર્યો

રાજકોટમાં નાણાં ચૂકવી દેવા છતાં વધુ ઉઘરાણી કરી પિતા-પુત્રોએ યુવાનને માર માર્યો

રમકડાની દુકાનમાં નોકરી કરતા ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ મુજબ, કંદોઇનું કામ કરતા પિતાને પાંચ વર્ષ પહેલા શ્વાસની બીમારી થઇ હોવાથી તેમની સારવાર કરાવવાની હતી. પિતાની સારવારના પોતાની પાસે પૈસા ન હોય પાડોશમાં રહેતા સુરેશભાઇ પાસેથી પિતાની બીમારીની સારવાર માટે નાણા ઉછીના લીધા હતા. નાણા ઉછીના લીધા બાદ તેમને કટકે કટકે ચૂકવતો રહેતો હતો. આમ થોડા થોડા કરીને સુરેશભાઇને તમામ રૂપિયા ચૂકવી આપ્યા હતા. તેમ છતા તેઓ રૂપિયાની અવારનવાર માંગણી કરતા રહેતા હતા.

દરમિયાન ગુરૂવારે સાંજે પોતે સુરેશભાઇના ઘરે ગયો હતો અને તમને બધા રૂપિયા આપી દીધા છે. છતા હજુ કેમ માંગો છોની વાત કરી હતી. ત્યારે સુરેશભાઇએ તારે હજુ થોડા રૂપિયા ચૂકવવાના બાકી છેનું કહ્યું હતુ. જેથી પોતે વ્યવસ્થા થશે એટલે તમને રૂપિયા આપી દઇશની વાત કરી હતી. આ સમયે સુરેશભાઇ સાથે તેનો પુત્ર કપિલ પણ ત્યાં ઉભો હોય તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેને ઝઘડો કર્યો હતો. તેને શાંતિથી વાત કરવાનું કહેતા તે વધુ ઉશ્કેરાઇ જઇ ઘરમાંથી પાવડો લઇ આવ્યો હતો.

ત્યારે કુશાલ પણ આવી જતા બંને ભાઇઓ પોતાના પર તૂટી પડયા હતા. હુમલામાં પોતાને પગમાં ગંભીર ઇજા થઇ હોય 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. બીજી તરફ યુવાનને માર મારનાર સુરેશભાઇની પત્ની આશાબેને નંદો મારવાડી, તેના પિતા ઉગમભાઇ, ગોવિંદો, વનરાજે શુક્રવારે સવારે કરિયાણાની દુકાને ધોકા સાથે ધસી આવી તોડફોડ કરી ગાળો ભાંડયાની વળતી ફરિયાદ નોંધાવી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow