ઢોલરામાં અણછાજતું વર્તન કરતા શખ્સે ટપાર્યાનો ખાર રાખી યુવાનને છરી ઝીંકી

ઢોલરામાં અણછાજતું વર્તન કરતા શખ્સે ટપાર્યાનો ખાર રાખી યુવાનને છરી ઝીંકી

શાપરથી રાજકોટ તરફ ઢોલરા રોડ પર યુવક પર બે શખ્સે છરીથી હુમલો કરતાં યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. લોધિકાના પાળ પીપળિયાની સીમમાં અવધ રેસિડેન્સીમાં રહેતો અને ડ્રાઇવિંગ કરતો પરાક્રમસિંહ ખોડુભા જાડેજા (ઉ.વ.26) મંગળવારે સવારે પોતાનું બાઇક ચલાવીને ગોંડલ રોડ ચોકડી તરફ આવી રહ્યો હતો અને ઢોલરા રોડ પર પહોંચ્યો હતો ત્યારે પાછળથી બાઇકમાં કરણ બારોટ અને એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા અને પરાક્રમસિંહને આંતરી તેમના પર છરીથી હુમલો કર્યો હતો.

યુવકે દેકારો કરતાં અન્ય લોકો આવી પહોંચતા હુમલાખોરો નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરાક્રમસિંહે આ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચાર મહિના પૂર્વે પોતે શાપરમાં પરિવારના મહિલા સભ્યો સાથે પાણીપૂરી ખાતા હતા ત્યારે ત્યાં ઊભેલો કરણ બારોટ મશ્કરી અને અણછાજતું વર્તન કરતો હોય તેને ટપાર્યો હતો જે બાબતનો ખાર રાખી તેણે હુમલો કર્યો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow