ચીનમાં 24 કલાકમાં 3.7 કરોડ દર્દીઓ મળ્યા

ચીનમાં 24 કલાકમાં 3.7 કરોડ દર્દીઓ મળ્યા

કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. બ્લૂમબર્ગે ચીનના નેશનલ હેલ્થ કમિશનને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે અહીં 24 કલાકમાં 3 કરોડ 70 લાખ કેસ નોંધાયા છે. જોકે, સત્તાવાર આંકડામાં આ દિવસે માત્ર 3 હજાર કેસ નોંધાયા હોવાનું જણાવાયું હતું. રિપોર્ટ અનુસાર આ મહિનાના શરુઆતના 20 દિવસમાં 24 કરોડ 80 લાખ લોકો સંક્રમિત થયા છે. આ પહેલા જાન્યુઆરીમાં એક દિવસમાં 40 લાખ કોરોના દર્દીઓ મળી આવ્યા હતા.

ચીન અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખનાર હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ જેનિફર ઝેંગે એક વીડિયો પોસ્ટ કર્યો છે. રસ્તાઓ પર દોરડા બાંધીને લોકોને બોટલો ચઢાવવામાં આવી રહી હોવાનું જોવા મળે છે. હોસ્પિટલોમાં બેડના અભાવે આમ કરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પણ આવી જ એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં ચીનમાં ક્લાસરૂમમાં અભ્યાસ કરતી વખતે બાળકોને બોટલ ચઢાવવામાં આવતા જોવા મળ્યા હતા.

ચીનમાં મૃતદેહોને કન્ટેનરમાં એકત્રિત કરવામાં આવી રહ્યા છે. બેઇજિંગના સૌથી મોટા સ્મશાનગૃહમાં 24 કલાક અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. લોકો વાહનોમાં મૃતદેહો લઈને સ્મશાનની બહાર લાંબી કતારોમાં ઉભા છે.
ચીનમાં દવાઓની પણ અછત છે. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF) અનુસાર, અહીંના લોકો કોવિડ વિરોધી દવાઓ ઓનલાઈન શોધી રહ્યા છે. ભારતમાં બનતી જેનરિક એન્ટી વાઈરલ દવાની ઘણી માંગ છે.
ચીનમાં ફેલાયેલો BF.7 વેરિયન્ટ ભારત સહિત વિશ્વના 91 દેશોમાં ફેલાઈ ગયો છે. સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, આ વેરિયન્ટ છેલ્લા બે વર્ષથી છે. જોકે હવે તે ખતરનાક બની ગયો છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow