ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ભારતીય ઓલરાઉન્ડર્સ માટે પડકાર

ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ભારતીય ઓલરાઉન્ડર્સ માટે પડકાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 16મી સિઝન શુક્રવાર 31 માર્ચથી શરૂ થઈ રહી છે. 4 વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વચ્ચે લીગની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટમાં 10 ટીમ 70 સ્ટેજ અને 4 પ્લેઓફની મેચ રમશે.

2008થી શરૂ આ લીગમાં પહેલી વખત ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ થયો છે. આ નિયમ હેઠળ ટીમ પ્લેઇંગ-11માં સામેલ કોઈ પણ એક ખેલાડીને ટીમની બહાર બેન્ચ પર બેસેલા ખેલાડી સાથે રિપ્લેસ કરી શકશે. એક્સપર્ટનું માનવું છે કે આ નિયમથી ઓલરાઉન્ડર્સનો પ્રભાવ ઓછો થશે અને ગુજરાત, લખનઉ અને રાજસ્થાન જેવી ટીમને ફાયદો મળશે.

આગળ સ્ટોરીમાં આપણે આ નિયમ વિશે વિગતવાર જાણીશું. આ નિયમ શું છે, ટીમ કેવી રીતે તેનો ઉપયોગ કરી શકશે, ટીમ કયા પ્લેયરને ઇમ્પેક્ટ ખેલાડી બનાવી શકશે અને આ નિયમને લઈને એક્સપર્સનો અભિપ્રાય શું છે.

ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ હેઠળ, ટીમ પ્લેઈંગ-11માં કોઈપણ એક ખેલાડીને IPL મેચ વચ્ચે બેન્ચ પર બેઠેલા ખેલાડી સાથે બદલી શકશે. ટીમ ટોસ પછી પ્લેઇંગ-11 સાથે 4-4 સબ્સ્ટિટ્યૂટ ખેલાડીઓના નામ પણ આપવા પડશે. આ 4માંથી કોઈપણ એક મેચની વચ્ચે પ્લેઈંગ-11માં સામેલ ખેલાડીને રિપ્લેસ કરી શકશે.

આ નિયમનો ઉપયોગ બંને ઈનિંગમાં એકથી 14 ઓવરની વચ્ચે થઈ શકે છે. એક ટીમ આખી મેચમાં માત્ર એક જ વાર પ્લેયર રિપ્લેસમેન્ટ નિયમનો ઉપયોગ કરી શકશે. જો તે ઈચ્છે તો પહેલી ઈનિંગની 14 ઓવર સુધી અથવા બીજી ઈનિંગની 14મી ઓવર સુધી રિપ્લેસમેન્ટ લઈ શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow