શિયાળામાં સ્વસ્થ રહેવું છે તો આજે જ ડાઈટમાં સામેલ કરી લો આ સુપરફૂડ, ક્યારેય નહીં પડો બીમાર

શિયાળામાં સ્વસ્થ રહેવું છે તો આજે જ ડાઈટમાં સામેલ કરી લો આ સુપરફૂડ, ક્યારેય નહીં પડો બીમાર

શિયાળાની ઋતુ નજીક આવતા જ બજારમાં ખજૂરની માંગ ઝડપથી વધવા લાગે છે અને તેની  પાછળનું કારણ છે ખજૂરમાં જોવા મળતા ઔષધીય ગુણોને. તેને કારણે ખજૂર ઠંડીની ઋતુમાં ખૂબ જ ખાવામાં આવે છે. ખજૂર ફક્ત આપણા શરીરને ગરમ રાખવાનું જ કામ નથી કરતું પણ તેને આહારમાં સામેલ કરવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. જણાવી દઈએ કે ખજૂરને પોષક તત્વો અને સૂક્ષ્મ પોષકતત્વોનો ખજાનો કહેવામાં આવે છે અને ખાસ કરીને રાત્રે દૂધ સાથે ખજૂર ખાવું પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ઠંડીની ઋતુમાં ખજૂર આપણા સ્વાસ્થ્ય માટે કેટલું અને કેવી રીતે ફાયદાકારક છે એ વિશે તમને જણાવશું.

હાઈ બીપી
હાઈ બ્લડ પ્રેશર એટલે કેહાઈ બીપી દર્દીઓએ શિયાળામાં તેમના રોજિંદા આહારમાં ખજૂરનો સમાવેશ કરવો જોઈએ. જણાવી દઈએ કે ખજૂરમાં પોટેશિયમ અને સોડિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એટલા માટે આવા લોકોએ દરરોજ લગભગ ચાર ખજૂરનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓ માટે ખજૂર એક ખાસ અને મહત્વની વસ્તુ માનવામાં આવે છે. જણાવી દઈએ કે ખજૂરનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે અને તેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓએ રિફાઈનરી સુગરથી દૂર રહેવું જોઈએ અને ખજૂરની સિઝન આવતા જ તેને ખાવાનું શરૂ કરી દેવું જોઈએ.

એનીમિયા
ખજૂર એનિમિયાની બીમારીને દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. એનિમિયા એટલે શરીરમાં લોહીની ઉણપ હોય છે એવામાં ખજૂર શરીરમાં આયર્નની ઉણપને પૂર્ણ કરે છે અને આયર્ન શરીરમાં લોહી બનાવવાનું કામ કરે છે.  આ સાથે જ ખજૂરમાં ફાઈબર અને વિટામિન સી પણ ભરપૂર હોય છે જેને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

શરદી
ઠંડીની મોસમ આવતા જ લોકોને શરદીઅને ઉધરસની સમસ્યા થવા લાગે છે. એવામાં શિયાળામાં ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને મોસમી રોગો દૂર રહે છે, આ સાથે જ ખજૂરનો ઉપયોગ આયુર્વેદિક દવા અથવા ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ થાય છે. શિયાળાની ઋતુમાં તમારે દરરોજ લગભગ ચાર ખજૂર ખાવા જોઈએ અને આ સિવાય તમે ખજૂરને દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકો છો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow