વેઇટલોસ કરવું હોય તો આ વસ્તુઓને હાથ પણ ન લગાડશો, ગમે તેટલો પરસેવો પાડ્યો હશે તો જશે નકામો

વેઇટલોસ કરવું હોય તો આ વસ્તુઓને હાથ પણ ન લગાડશો, ગમે તેટલો પરસેવો પાડ્યો હશે તો જશે નકામો

વજન ઘટાડવું કોઇ સરળ કામ નથી. આ માટે તમારે ખૂબ મહેનત કરવી પડે છે. પરસેવો વહાવવો પડે છે અને સૌથી મોટી વાત એ કે ડાયટનું ધ્યાન રાખવું પડે છે. આ બે ચાર દિવસનું કામ નથી. હેલ્ધી રીતે વજન ઘટાડવામાં તમને મહિનાઓ કે વર્ષ જેટલો સમય લાગી જાય છે. મોટાભાગના લોકો વચ્ચે જ હિંમત હારીને આ વસ્તુ છોડી દે છે.

કસરત સાથે ડાયટ પણ જરૂરી
જે લોકોએ મહેનત કરીને વજન ઘટાડ્યું છે તમે તે લોકોને મળશો ત્યારે જાણી શકશો કે વજન ઘટાડવા દરમિયાન કેટલાય કલાકોની ફિઝિકલ એક્ટિવિટી ઉપરાંત ડાયટનો પણ મહત્વનો રોલ છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે પરસેવો તો વહાવે છે, પરંતુ ડાયટ પર ધ્યાન આપતા નથી. જો તમે ખરેખર વજન ઘટાડવા ઇચ્છતા હો તો કેલરી ફૂડથી દૂર રહો, કેમ કે તેમાં કોઇ પોષક તત્ત્વ હોતાં નથી, તે માત્ર વજન વધારવાનું જ કામ કરે છે.  

ફ્રેંચ ફ્રાઇઝ:
બાળકો હોય કે મોટા ફ્રેન્ચ ફ્રાઇઝ લગભગ દરેકને ભાવે છે. વજન ઘટાડવા ઇચ્છતા લોકોએ તેને અડવું પણ ન જોઇએ. તેમાં ફાઇબર હોતું નથી અને મીઠાની માત્રા વધુ હોય છે. બટેટા જે ખુદ વજન વધારનાર છે તેને તેલમાં તળવામાં આવે છે, તેનાથી તમારા શરીરમાં કેલરીની માત્રા વધે છે.

સોફ્ટ એન્ડ એનર્જી ડ્રીંક:
સોફ્ટ ડ્રિંકમાં શુગરની માત્રા વધુ હોય છે. તેમાં કોઇ પણ પ્રકારનાં પોષક તત્ત્વ હોતાં નથી. કેલરી ભરેલા આ પ્રકારના ડ્રિંક્સ તમારા બ્લડ શુગરને વધારે છે. આ ઉપરાંત આ કેલરી ડ્રિંક્સ તમારી ભુખને ઘટાડતા નથી. તમારું મગજ પણ તમને સંકેત આપે છે કે તમારે જમવાની જરૂર છે.

બેકરી આઇટમ:
તમામ ચોકોલેટ, જામ સ્ટફ્ડ બિસ્કિટ, ક્રીમી અને પાવડર શુગર કોટેડ કૂકીઝ, પેસ્ટ્રી, ડોનેટ્સ અને કેકમાં ખાંડ, મેંદો અને મીઠાની માત્રા વધુ હોય છે. આ બધી વસ્તુઓ તમારા વજનને વધારી શકે છે. વીકમાં એક વખત પણ તેનું સેવન હાનિકારક છે.

આલ્કોહોલ:
આલ્કોહોલમાં કેલરીની માત્રા વધુ હોય છે. તે ભુખને વધારે છે. એક ગ્રામ દારૂમાં લગભગ સાત કેલરી હોય છે. આ ઉપરાંત તેમાં કોઇ પોષણ મૂલ્ય હોતું નથી. સૌથી મોટુ નુકસાન આલ્કોહોલને ડિટોક્સ કરવા માટે તમારું શરીર ચયાપચય બંધ કરી દે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow