જો તમારા શરીરને રાખવું છે હેલ્ધી, તો આજથી જ આ વસ્તુઓને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કરો, પછી જુઓ લાભ

જો તમારા શરીરને રાખવું છે હેલ્ધી, તો આજથી જ આ વસ્તુઓને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કરો, પછી જુઓ લાભ

ઘણી એવી વસ્તુઓ છે, જેમને તમે કાચી અને પલાળીને બંને રીતે ખાઈ શકો છો, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે,  

જેમને કાચી ખાવાના બદલે જો તમે પલાળીને ખાઓ છો તો તેમનાં પોષક તત્ત્વોનું પ્રમાણ વધી જાય છે અને શરીરને વધારે લાભ કરે છે. જો તમે આ વસ્તુઓને પલાળીને ખાઓ છો તો તેનાથી તમારી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે, સાથે જ આ વસ્તુઓ પલાળીને ખાવાથી પાચનમાં સરળતા રહે છે. આ વસ્તુઓને હંમેશાં પલાળીને જ ખાવી જોઈએ, તેનાથી વધારે લાભ થાય છે.

બદામ
રોજ સવારે પલાળેલી બદામ ખાવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે, તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ દૂર થાય છે. તેથી બદામને કાચી ખાવાના બદલે પલાળીને ખાવી જોઈએ.

કિસમિસ
કિસમિસમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે અને તે એન્ટિઓક્સિડન્ટ તત્ત્વોથી ભરપૂર હોય છે. જો તમારા શરીરમાં રક્તની ઊણપ હોય તો પલાળેલી કિસમિસ ખાવાનું શરૂ કરો, તેનાથી ઝડપથી આયર્ન વધે છે.

અંજીર
અંજીર પણ રોજ પલાળીને ખાવાં જોઈએ, તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ, જેમ કે કબજિયાત, એસિડિટી વગેરેથી છુટકારો મળે છે. તેથી અંજીરને કાચાં ખાવાના બદલે રાતે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવું.

મેથી
મેથીના દાણાને પણ રાતે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવું જોઈએ, તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પલાળેલી મેથી રામબાણ સાબિત થાય છે.

અખરોટ
જો રોજ તમે પલાળેલા અખરોટનું સેવન કરો છો તો તેનાથી તમારું મગજ તેજ રહે છે અને યાદશક્તિ સુધરે છે. ખાસ કરીને પલાળેલા અખરોટ ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow