ઠંડીથી બચવા માટે રૂમ હીટરનો ઉપયોગ કરો છો તો ચેતી જજો, શરીરને પંહોચાડે છે આટલું નુકસાન

ઠંડીથી બચવા માટે રૂમ હીટરનો ઉપયોગ કરો છો તો ચેતી જજો, શરીરને પંહોચાડે છે આટલું નુકસાન

શિયાળો હાલ પિક પર છે અને આખા ભારતમાં ઠંડીથી લોકો ઠૂંઠવાઇ રહ્યા છે. લોકો ધાબળા, રજાઇ, ઊની કપડાં બધું જ પહેરે છે એ છતાં પણ ઠંડીને રોકી નથી શકતા. આવી સ્થિતિમાં ઘણા લોકો રૂમ હીટરનો સહારો લે છે. શિયાળાની આ ઠંડીમાં રૂમ હીટરથી રૂમનું તાપમાન સંપૂર્ણપણે સામાન્ય તો થઈ જાય છે પણ શું તમે જાણો છો કે ગરમી મેળવવા માટે તમે જે રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા જીવને જોખમમાં મૂકી શકે છે. આજે અમે તમને હીટરના ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.  

ત્વચા માટે હાનિકારક
શિયાળાની ઋતુમાં આપણું શરીર પૂરતું હાઈડ્રેટ નથી રહેતું. ઓછું પાણી પીવાના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને પ્રાકૃતિક નમી પણ નષ્ટ પામે છે. આવી સ્થિતિમાં રૂમમાં લાંબા સમય સુધી હીટર ચાલુ રાખીને સૂવું માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે રૂમ હીટરનું તાપમાન હવામાંથી ભેજને સંપૂર્ણપણે છીનવી લે છે, જેના કારણે તમારા ચહેરાની ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. એવામાં જો તમારી ત્વચા ખૂબ જ સેન્સિટિવ હોય તો ત્વચા પર લાલ ફોલ્લીઓ, ખંજવાળ આવવાની શક્યતા વધી જાય છે.

રોગપ્રતિકારક શક્તિ પર અસર
શિયાળામાં જ્યારે રૂમ હીટર શરૂ કરો છો ત્યારે રૂમનું તાપમાન અને રૂમની બહારનું તાપમાન અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમા  જ્યારે તમે રૂમની બહાર જાઓ છો, ત્યારે તાપમાનમાં અચાનક ફેરફાર આવવાના કારણે વધુ ઠંડી લાગી છે. આ શરીર માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. જણાવી દઈએ કે આવી પરિસ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે અને બીમાર પડવાની શક્યતા ઘણી વધી જાય છે.

બ્રેઈન હેમરેજની શક્યતા
શિયાળામાં ઠંડીથી બચવા માટે ઘણા લોકો ગેસ હીટરનો ઉપયોગ કરે છે અને આ હીટરના ઉપયોગથી ઊંઘમાં મૃત્યુની શક્યતા વધી જાય છે. તેની પાછળનું કારણ છે કે એ હીટર કાર્બન મોનોક્સાઈડ છોડે છે અને રૂમમાં હાજર કાર્બન મોનોક્સાઈડની માત્રા મગજમાં લોહીનો સપ્લાય બંધ કરી શકે છે, જેના કારણે બ્રેઈન હેમરેજ અને અચાનક મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે.

અસ્થમાના દર્દીઓ માટે જોખમ
ખાસ કરીને અસ્થમાના દર્દીઓએ રૂમ હીટરનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેમાંથી નીકળતો મોનોકાર્બન ડાયોક્સાઇડ શ્વસન માર્ગ દ્વારા શરીરમાં પંહોચે છે અને અસ્થમાના દર્દી માટે ખતરનાક પરિસ્થિતિ સર્જી શકે છે, જેના કારણે મૃત્યુનું જોખમ વધી જાય છે.

આંખોને નુકસાન
રૂમ હીટરનો ઉપયોગ કરવાથી માત્ર તમારા ચહેરા, વાળને જ નહીં પરંતુ આંખોને પણ અસર થાય છે. હીટર આંખોમાંથી ભેજ દૂર કરે છે અને આવી સ્થિતિમાં આંખોમાં શુષ્કતાની સમસ્યામાં વધારો કરે છે અને આંખોમાં ખંજવાળ, બળતરા અને ચેપનું જોખમ વધી જાય છે.

‌                                            

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow