ડેન્ગ્યુ થયો છે તો જલ્દી સ્વસ્થ થવા માટે પીવો આ 5 હેલ્ધી ડ્રિંક, ઈમ્યુનિટી તો બુસ્ટ થશે સાથે જ પ્લેટલેટ્સ પણ રોકેટ ગતિએ વધશે

ડેન્ગ્યુ થયો છે તો જલ્દી સ્વસ્થ થવા માટે પીવો આ 5 હેલ્ધી ડ્રિંક, ઈમ્યુનિટી તો બુસ્ટ થશે સાથે જ પ્લેટલેટ્સ પણ રોકેટ ગતિએ વધશે

ડેન્ગ્યુના દર્દીઓને હાઈડ્રેટેડ રહેવાની પણ સલાહ આપવામાં આવે છે. જેના માટે આખા દિવસમાં ઓછામાં ઓછુ 4 લીટર પાણીનુ સેવન કરવુ જોઈએ. આ સાથે અહીં જણાવવામાં આવેલા અમુક અન્ય હેલ્ધી અને પૌષ્ટિક ડ્રિંક્સને ડેન્ગ્યુના દર્દીઓને અવશ્ય પીવડાવો. જેનાથી પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટે નહીં.

ગિલોયનુ જ્યુસ દર્દીને જરૂરી દરરોજ ઓછી માત્રામાં પીવડાવો

ડેન્ગ્યુ થવાથી તમે ગિલોયનુ જ્યુસ દર્દીને જરૂરી દરરોજ ઓછી માત્રામાં પીવડાવો. ગિલોય એક હર્બ છે, જે મેટાબોલિજ્મને બૂસ્ટ કરીને ઈમ્યુનિટીને પણ સ્ટ્રોંગ બનાવે છે. જેનાથી શરીર ડેન્ગ્યુના તાવ સામે પણ લડી શકે છે. એક ગ્લાસ પાણીમાં ગિલોયના બે દાંડીને નાખીને ઉકાળો. હલ્કા આ ગિલોયના આ પાણીને ગાળીને પી લો. વધુ માત્રામાં ગિલોયનુ જ્યુસ પીવાથી પણ બચો.

પપૈયાના પાનમાંથી તૈયાર જ્યુસ પીવાથી ડેન્ગ્યુમાં થાય છે ફાયદો

પપૈયાના પાનમાંથી તૈયાર જ્યુસ પીવડાવવાથી ડેન્ગ્યુમાં ફાયદો થાય છે. પપૈયાનુ જ્યુસ પ્લેટલેટ્સ કાઉન્ટને પણ વધારે છે. જેને પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. પપૈયાના પાનને મિક્સરમાં નાખીને પીસી નાખો. જેના જ્યુસને ખૂબ ઓછી માત્રામાં દર્દીને આખા દિવસમાં બે વખત પીવડાવો.

જામફળનુ જ્યુસ રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે

જામફળનુ જ્યુસ પણ ડેન્ગ્યુમાં પી શકાય છે. જામફળના જ્યુસમાં વિટામિન સી વધારે હોય છે, જે રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે. ડબ્બામાં બંધ જામફળનુ જ્યુસ પીવાથી સારું થાય છે. ઘરમાં જામફળનુ ફ્રેશ જ્યુસ બનાવીને ડેન્ગ્યુના દર્દીને પીવડાવો.

ડેન્ગ્યુના તાવમાંથી બહાર આવવા તુલસીના પાનનો કરો ઉપયોગ

ડેન્ગ્યુના તાવને સમાપ્ત કરવા માટે તુલસીના પાનનો પણ ઉપયોગ કરી શકાય છે. તુલસીમાં રહેલ ગુણ ઈન્ફેક્શનને ઘટાડે છે. જલ્દી રિકવર થવામાં અસરકારક સાબિત થઇ શકે છે. એક ગ્લાસ પાણીમાં અમુક તુલસીના પાન નાખીને ઉકાળો. તેને એક કપમાં ગાળી લો. તમે આ ડ્રિંકનો સ્વાદ વધારવા માટે તેમાં લીંબુનો રસ અથવા મધ મિક્સ કરી શકો છો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow