દિવસે સુવાની આદત હોય તો ખા વાંચજો! છીનવાઈ શકે છે આંખોની રોશની, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

દિવસે સુવાની આદત હોય તો ખા વાંચજો! છીનવાઈ શકે છે આંખોની રોશની, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

ઘણા લોકો છે જેમને દિવસે સુવાની આદત હોય છે. ઘણી વખત રાત્રે ઉંઘ પુરી ન થવાના કારણે લોકોને દિવસમાં સુસ્તી આવી જાય છે અને તે દિવસમાં સુઈ જાય છે. તમને જણાવી દઈએ કે દિવસે સુવાની આદત આંખો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમે દિવસમાં સુવો છો તો તેનાથી આંખો પર ખરાબ અસર પડે છે. તેનો ખુલાસો એક રિસર્ચમાં થયો છે. સંશોધકોનું કહેવું છે કે આ સ્થિતિ વધારે ગંભીર હોય તો સમસ્યા આંધળા થવા સુધી પણ પહોંચી શકે છે.

દિવસમાં સુવુ કેમ છે ખતરનાક?
એક રિપોર્ટ અનુસાર જે લોકો રાત્રે સુરતી ઉંઘ નથી લેતા અને દિવસમાં સુવે છે તેમની આ આદતથી ગ્લુકોમા એટલે કે કાળો મોતિયો થવાનો ખતરો વધી જાય છે. આ બીમારીની યોગ્ય સમય પર સારવાર ન કરવાથી સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ શકે છે જેનાથી આંખોની રોશની હંમેશા જવી એટલે કે આંધળા થવાનો પણ ખતરો રહે છે.

ત્યાં જ એક રિસર્ચ અનુસાર ગ્લુકોમાના કારણે જો કોઈ વ્યક્તિનાં આંખોની રોશની જતી રહે તો ફરી પરત નથી આવતી. સંશોધકોએ જણાવ્યું કે રાત્રે ઉંઘ પુરી ન થવાની સ્થિતિમાં કોઈ પણ ઉંમરના લોકોને ગ્લુકોમાની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા વૃદ્ધો અને ધુમ્રપાન કરનારમાં પણ થઈ શકે છે.

રિસર્ચમાં ખુલાસો
બ્રિટનના બાયોબેંકની તરફથી થયેલી એર સ્ટડીમાં 40થી 69 વર્ષની વચ્ચેની ઉંમરના લગભગ 4 લાખથી વધારે લોકોના ડેટા પર રિસર્ચ કરવામાં આવ્યું. આ સ્ટડીમાં શામેલ દરેક લોકોની ઉંઘની આદતો વિશે પુછવામાં આવ્યું. જેમાં જણાવવામાં આવ્યું કે 8,690 લોકોને ગ્લુકોમાની ફરિયાદ છે.

એવામાં સંશોધકોએ જાણ્યું કે જે લોકો રાત્રે ભરપૂર ઉંઘ નથી લેતા અને દિવસમાં સુવે છે. તેમનામાં ગ્લુકોમાનો ખતરો 11 ટકા વધી જાય છે. ત્યાં જ દિવસમાં સુવાની તમારી આ હરકત આંખોની રોશની છીનવી શકે છે.‌

જાણો શું કહે છે એક્સપર્ટ્સ
એક્સપર્ટ્સનું કહેવું છે કે જો તમે સારી ઉંઘ નથી લેતા તો તેનાથી આપણી નિર્ણય લેવાની ક્ષમતા, સીખવાની ક્ષમતા, આપણા વ્યવહાર અને સ્વભાવ અને આપણી યાદશક્તિ પર ખરાબ અસર પડે છે. હકીકતે, ગ્લુકોમા આંખથી મગજને જોડતી ઓપ્ટિક તંત્રિકાને ખૂબ જ પ્રભાવિત કરે છે. જેના કારણે આંખોની સંવેદનશીલ સેલનું રક્ષણ થવા લાગે છે.

માટે દિવસમાં સુવાની આદતને સુધારો અને રાત્રે ઉંઘ સારી રીતે પુરી કરો. એક્સપર્ટ્સનું માનવું છે કે સમય પર સારવાર ન મળવા પર આંખોની રોશની હંમેશા માટે જઈ શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow