કમરના દુ:ખાવાને ભૂલથી પણ ઇગ્નોર ના કરતા નહીં તો...., હોઈ શકે છે કોઈ મોટી બીમારીનો સંકેત

કમરના દુ:ખાવાને ભૂલથી પણ ઇગ્નોર ના કરતા નહીં તો...., હોઈ શકે છે કોઈ મોટી બીમારીનો સંકેત

ઉંમર સાથે શરીરમાં ઘણા ફેરફારો થાય છે. તેમાંથી એક છે પીઠનો દુખાવો. જો કે પીઠનો દુખાવો ઉંમરની સાથે વધે છે,  

જેને મોટાભાગના લોકો તેને અવગણે છે. કોવિડ-19 પછી ઘણા લોકો માટે પીઠના નીચેના ભાગમાં દુખાવાની સમસ્યા વધી છે.  

આ દુખાવો કમરની જમણી અને ડાબી બાજુએ થાય છે. જે અમુક સમયે ગંભીર અને પીડાદાયક હોઈ શકે છે.

પીઠના નીચેના ભાગમાં દુખાવો મસ્ક્યુલોસ્કેલેટલ સમસ્યાઓમાંની એક છે. આ સ્થિતિ સ્નાયુઓ, હાડકાં અને લિગામેન્ટ્સને અસર કરી શકે છે.  

કમરની જમણી અને ડાબી બાજુનો દુખાવો કરોડરજ્જુની ડિસ્ક સાથે સંબંધિત હોઈ શકે છે. એવામાં પીઠમાં દુખાવો કેમ થાય છે આપણે તેના વિશે જાણીએ.  

મસલ્સમાં ખેચાણ અથવા મચકોડ
કમરની બંને બાજુએ દુખાવો થવાનું સૌથી સામાન્ય કારણ સ્નાયુમાં મચકોડ અથવા તાણ છે.  

આ ઘણીવાર ખરાબ પોશ્ચર અને કસરત દરમિયાન થાય છે. આ સ્થિતિમાં સ્નાયુઓ પોપ-અપ થાય છે. ખોટી રીતે ઉઠવાથી અને વધુ વજન ઉપાડવાને કારણે પણ આ દુખાવો થઈ શકે છે.

ખરાબ પોશ્ચર
વૃદ્ધાવસ્થા અને ખરાબ પોશ્ચર એ બે મુખ્ય કારણો છે જે લોકોને કમરની ડાબી અને જમણી બાજુએ દુખાવો અનુભવ કરાવી શકે છે. કોવિડ પછી આ સમસ્યા વધુ વધી છે.  

લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી પણ કમરનો દુખાવો થઈ શકે છે. પીઠ અને કોરના નબળા થવા પર પણ કમરમાં દુખાવો વધી જાય છે. તેથી જ બેસવાની સ્થિતિ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

નબળા સ્નાયુઓ
જો આપણે કોર વિશે વાત કરીએ તો, કરોડરજ્જુ સુરક્ષિત ન હોય તો પણ પીઠમાં દુખાવો થઈ શકે છે.  

કોર મસલ્સ કરોડરજ્જુની સાથે જમણી અને ડાબી બાજુના સ્નાયુઓ સાથે પણ જોડાયેલા છે. જો કોર નબળો હોય તો કરોડરજ્જુમાં વળાંક આવવાની અને પીડા થવાની શક્યતા વધી જાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow