આ શાકભાજીને ભૂલથી પણ ન કરતા એકથી વધારે વખત ગરમ, બની જાય છે 'સ્લો પોઈઝન'

આ શાકભાજીને ભૂલથી પણ ન કરતા એકથી વધારે વખત ગરમ, બની જાય છે 'સ્લો પોઈઝન'

શિયાળાની ઋતુમાં રાંધેલો ખોરાક ઘણા દિવસો સુધી ફ્રિઝમાં રાખ્યા વિના પણ સારો રહે છે. ઉનાળાના દિવસોથી વિપરીત, આ ખોરાકમાં બેક્ટેરિયાના વિકાસ અને બગાડનું વધુ જોખમ નથી.

તેથી જ આ સીઝનમાં મોટાભાગના લોકો એક વારમાં વધારે માત્રામાં શાકભાજી અથવા ચોખા જેવી વસ્તુ બનાવીને ખાવાનું પસંદ કરે છે. જેથી વારંવાર કુકિંગ કરવા માટે પાણીમાં હાથ ન બોળવા પડે અને કિચનમાં ન ઉભુ રહેવું પડે.

આમ કરવું તમારા સમયને બચાવશે પરંતુ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. કારણ કે શિયાળામાં આવતા શાકભાજી એવા હોય છે જેને વારંવાર ગરમ કરવા પર તેના પોષક તત્વો ઓછા થઈ જાય છે સાથે જ તે ટોક્સિક બની જાય છે. તેનું સેવન કરવું શરીરને સ્લો પોઈઝન જેવું બનાવી દે છે. અહીં આજ ફૂડ્સના નામ જણાવવામાં આવી રહ્યા છે જેને એક વખતથી વધારે વખત ગરમ ન કરવું જોઈએ.

કયા શાકભાજીને ન કરવું જોઈએ વારંવાર ગરમ?

  • પાલક
  • સેલેરી
  • ગાજર
  • બટાકા
  • શક્કરીયા
  • લીલા પાંદળા વાળા શાકભાજી
  • શાકભાજીને કેમ ફરીથી ગરમ ન કરવી જોઈએ?
  • મોટાભાગના લીલા પાંદડાવાળા શાકભાજી અને ગાજર, સલગમ જે જમીનની અંદર ઉગે છે તેમાં નાઈટ્રેટ સારી માત્રામાં જોવા મળે છે. જ્યારે આ શાકભાજીને ફરીથી ગરમ કરવામાં આવે છે, ત્યારે નાઈટ્રેટ્સનું પ્રમાણ ખૂબ વધી જાય છે, જે શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે.
  • નાઈટ્રેટ ફરીથી ગરમ કર્યા પછી ઝેરી બની જાય છે અને આ શાકભાજીને ફરીથી ગરમ કર્યા પછી કાર્સિનોજેનિક પ્રોપર્ટીઝ રિલીઝ થવા લાગે છે. એટલે કે આવા તત્વો જે શરીરમાં કેન્સર પેદા કરતા કોષોના વિકાસનું કારણ બની શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow