શરીરમાં આ ચાર સંકેત જોવા મળે તો હોઈ શકે છે પથરી, અવગણના કરી તો કિડની પણ થઈ શકે છે ફેલ

શરીરમાં આ ચાર સંકેત જોવા મળે તો હોઈ શકે છે પથરી, અવગણના કરી તો કિડની પણ થઈ શકે છે ફેલ

આજના સમયમાં કિડની સ્ટોનની બીમારી એક ખૂબ જ સામાન્ય બની ચુકી છે. કિડની સ્ટોનની બીમારી ખૂબ જ નાના સ્તર પર હોય છે અને વ્યક્તિને વધારે પરેશાન નથી કરતી પરંતુ જ્યારે ગંભીર રૂપ લે છે તો તેમાં તમને અસહ્ય દુખાવો થઈ શકે છે.

કિડનીનું કામ લોહી સાફ કરવું અને યુરીન બનાવવું છે. આ તમારા  ભોજનમાંથી નીકળેલી દરેક ઝેરી તત્વોને બહાર નિકાળવાનું કામ કરે છે પરંતુ જ્યારે કિડનીથી ઝેરી પદાર્થ સંપૂર્ણ રીતે બહાર ન નીકળી શકે તો તે ધીરે ધીરે જમા થઈને પથરી એટલે કે સ્ટોનનું રૂપ લે છે. જેને મેડિકલ ભાષામાં કિડની સ્ટોન કહેવાય છે.

કિડની સ્ટોન થવાના ઘણા કારણો
કિડની સ્ટોન થવાના ઘણા કારણો છે પરંતુ આ બીમારીથી નિપટવા માટે તેના શરૂઆતી લક્ષણોને ઓળખવા જરૂરી છે. શરીરમાં લાંબા સમયથી આ પરેશાની કિડની ડેમેજ અને કિડની ફેલિયરના કારણે બની શકે છે.

કોને થાય છે કિડની સ્ટોનનો સૌથી વધારે ખતરો?
જે લોકોને ડાયાબિટીસ અથવા જાડાપણુ થાય છે તેમાં કિડનીની પથરી થવું ખૂબ જ સામાન્ય છે. આ રોગ સિસ્ટિનુરિયા નામની આનુવાંશિક સ્થિતિના કારણે પણ થઈ શકે છે. નાની કિડનીની પથરી સામાન્ય રીતે ઘણા ખાસ લક્ષણ પ્રકટ કરે છે.

પરંતુ જ્યારે તે વ્યક્તિની કિડની સુધી પહોંચે છે તો તેમાં ભયંકર દુખાવો અને ધણી સમસ્યા થઈ શકે છે. જો કિડનીની સમસ્યા નાની છે તો આ યુરીન દ્વારા શરીરથી બહાર નિકળી જાય છે પરંતુ જો આ મોટી છે તો તે ખૂબ જ દુખાવો પેદા કરે છે.

કિડની સ્ટોનના શરૂઆતી ચાર લક્ષણ
પીઠ, પેટ અને તેની આસપાસના ભાગમાં દુખાવો થવો
કિડની સ્ટોન ભયાનક દુખાવો ઉભો કરે છે. સામાન્ય રીતે આ દુખાવો ત્યારે થાય છે જ્યારે પથરી પેશાબની નળીમાં જતી રહે જેનાથી પેશાબ બગાર નિકળવામાં દુખાવો થવા લાગે છે અને કિડની પર દબાણ પડવા લાગે છે. કિડની સ્ટોનનો દુખાવો મોટાભાગે અચાનક શરૂ થાય છે પથરી જ્યારે એક જગ્યાથી બીજી જગ્યા પર જાય છે ત્યારે જોરદાર દુખાવો થાય છે.

પેશાબ વખતે દુખાવો કે બળતરા
જો પથ્થરી યુરેટર અને યુરિનરી બ્લેડરની વચ્ચે વાળા ભાગમાં પહોંચી જાય છે તો તેનાથી યુરીન પાસ થવામાં મુશ્કેલી થાય છે. આવી સ્થિતિને ડાયસુરિયા કહેવાય છે. તેમાં પણ દર્દીને ભયાનક દુખાવાનો સામનો કરવો પડી શકે છે.

પેશાબમાં લોહી આવવું
કિડનીની પથ્થરી એક સામાન્ય લક્ષણ પેશાબમાં લોહી આવે છે જેનાથી હેમટ્યુરિયા પણ કહેવાય છે. આ લોહી લાલ, ગુલાબી અથવા ભુરા રંગનું હોઈ શકે છે. ઘણી વખત યુરીનમાં લોહી એટલું ઓછુ થઈ જાય છે કે વગર માઈક્રોસ્કોપે જોઈ પણ ન શકાય. જોરે ડોક્ટર તપાસ કરીને યુરીનમાં લોહીની જાણકારી મેળવી શકે છે જ્યાર બાદમાં સ્પષ્ટ થઈ જાય છે કે દર્દીને કિડની સ્ટોનની સમસ્યા છે.

યુરીનમાં દુર્ગંધ આવવી
જો તમારૂ યુરીન સાફ છે અને તેમાં કોઈ પણ પ્રકારની દુર્ગંધ આવે છો તો તેનો મતલબ છે કે તમે સ્વસ્થ્ય છો. ત્યાં જ કોઈ વ્યક્તિનું યુરીન ગંદો અથવા દુર્ગંધ મારતો હોય તો તે કિડની સ્ટોનનો સંકેત હોઈ શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow