દીકરાના બીજે લગ્ન કરાવ્યા હોત તો અમને દહેજ વધુ મળત

દીકરાના બીજે લગ્ન કરાવ્યા હોત તો અમને દહેજ વધુ મળત

શહેરના લક્ષ્મીનગર રોડ પર શ્રીરામ મધુવન સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી માવતરે રહેતી પ્રિયંકા નામની પરિણીતાએ વીરપુર રહેતા પતિ પ્રતિક, સસરા મગનભાઇ પરબતભાઇ માલાણી, સાસુ પ્રજ્ઞાબેન, નણંદ ક્રિષ્નાબેન પ્રશાંતભાઇ ત્રાડા સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ખાનગી પેઢીમાં નોકરી કરતી પરિણીતાની ફરિયાદ મુજબ, પ્રતિક સાથે પ્રેમસંબંધ બંધાતા વડિયા ગામે 2018માં કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ બાદ બંને અલગ અલગ રહેતા હતા. ત્યાર બાદ પરિવારજનોની સહમતીથી 2020માં રાજકોટમાં લગ્ન કર્યા હતા, પરંતુ પ્રેમલગ્ન માત્ર ત્રણ મહિનામાં જ પરાયો થઇ ગયો હતો. પ્રતિક સામાન્ય બાબતે ઝઘડાઓ કરતો હતો. જેમાં સાસુ, નણંદ પ્રતિકની તરફદારી કરતા હતા. જેને કારણે મામલો વધુ વણસતો હતો. સાસુ-નણંદ ઘરકામ મુદ્દે ત્રાસ આપી તું કંઇ કરિયાવરમાં લાવી નથી, અમારા સ્ટેટસ મુજબ આ કરિયાવર ઓછું છે તેમ કહી મેણાં મારતા હતા. એટલું જ નહિ તારા કરતા બીજે મારા દીકરાના લગ્ન કર્યા હોત તો અમને દહેજમાં ઘણું મળ્યું હોત કહી વારંવાર ત્રાસ આપતા રહેતા હતા. અંતે પોતે માવતર આવી ગઇ હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow