પતિ-પત્ની દરરોજ કરે આ કામ તો સંબંધમાં ક્યારેય નહીં આવે તણાવ

પતિ-પત્ની દરરોજ કરે આ કામ તો સંબંધમાં ક્યારેય નહીં આવે તણાવ

આ કામ કરવાથી લગ્ન જીવન મધુર રહેશે

મહાન અર્થશાસ્ત્રી અને કૂટનીતિજ્ઞ આચાર્ય ચાણક્યએ લગ્ન જીવનને ખુશહાલ બનાવવા માટે ઘણા ઉપાય જણાવ્યાં છે. આ સાથે તેમણે પોતાની નીતિઓમાં સ્ત્રી-પુરૂષને લઇને અમુક એવા કામ જણાવ્યાં છે,  

જેને દરરોજ કરવાથી પતિ-પત્નીની વચ્ચે ક્યારેય તણાવ આવતો નથી. ચાણક્ય નીતિઓમાં એવા કામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કરવાથી લગ્ન જીવન ખુશહાલ રહે છે. આવો તમને જણાવીએ કે આચાર્ય ચાણક્યએ કયા કામોને દરરોજ કરવાની સલાહ આપી છે, જેનાથી પતિ-પત્નીનો સંબંધ મજબૂત થાય છે.

પતિ-પત્નીએ એકબીજાનુ માન જાળવવુ જોઈએ

લગ્ન જીવનને વધુ સારું બનાવવા માટે સૌથી જરૂરી છે કે બંનેની વચ્ચે પ્રેમ હોય અને બંને એકબીજાની ઈજ્જત કરતા હોય. ચાણક્ય નીતિમાં આ વાતને જણાવવામાં આવી છે કે પ્રેમની સાથે ઈજ્જત હોવાથી સંબંધ સુંદર થાય છે. તેથી હંમેશા પતિ-પત્નીએ એકબીજાનુ માન જાળવવુ જોઈએ અને માન-સન્માન આપવુ જોઈએ.

ક્યારેય અભિમાન ના કરશો

આચાર્ય ચાણક્ય મુજબ, પતિ-પત્ની ગાડીના બે પૈડા જેવા હોય છે અને ગાડી મુજબ સંબંધ ત્યારે જ સારો ચાલે છે જ્યારે તેના બે પૈડા મળીને આગળ વધે. ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે પતિ-પત્નીએ ક્યારેય પણ કોઈ વાતનો ઘમંડ ના કરવો જોઈએ. એકબીજાએ ઘમંડ કરવાથી સંબંધ ખરાબ થાય છે.

ખાનગી વાતો કોઈને ના કરો શેર

આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે પતિ-પત્નીએ પોતાની ખાનગી વાતોને કોઈને પણ કહેવી ના જોઈએ. આમ કરવાથી સંબંધ ખરાબ થાય છે, કારણકે પતિ-પત્ની વચ્ચે થતી વાતોને શેર કરવાથી એકબીજાનો ભરોસો તુટે છે. આ વાતનુ ધ્યાન પતિ અને પત્ની બંનેએ રાખવુ જોઈએ.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow