હિમોગ્લોબિન ઓછું થયું તો શરીરમાં થઈ શકે છે અનેક બીમારીઓ! દાડમ-બીટ સહિત આ ત્રણ ખાસ ડ્રિંક્સ આપશે જોરદાર એનર્જી

હિમોગ્લોબિન ઓછું થયું તો શરીરમાં થઈ શકે છે અનેક બીમારીઓ! દાડમ-બીટ સહિત આ ત્રણ ખાસ ડ્રિંક્સ આપશે જોરદાર એનર્જી

સ્વાસ્થ્ય રહેવા માટે ખૂબ જ જરુરી છે કે આપણે આપણા હિમોગ્લોબિનની ઉણપથી બચવુ જોઇએ. શરીરમાં હિમોગ્લોબિનની ઉણપથી અનેક ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. હિમોગ્લોબિન એક પ્રોટીન છે, જે શરીરના વિભિન્ન અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જો વ્યક્તિના શરીરમાં હિમોગ્લોબિનનની માત્રા ઓછી થવા લાગે છે, તો તેનાથી એનિમિયાની બીમારી થઇ શકે છે. તેવામાં જો તમારા લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ છે તો આ માટે તમારે હેલ્દી ડ્રિંક્સનું સેવન કરવુ જોઇએ. તો આવો જાણીએ એવા ક્યા હેલ્દી ડ્રિંક્સ છે જે તમારા શરીરમાં હિમોગ્લોબિનની માત્રામાં વધારો કરે છે, આ સાથે એનર્જીમાં પણ વધારો કરે છે....


1. દાડમનો જ્યૂસ
શરીરમાં લોહી વધારવા માટે દાડમનો જ્યૂસ તમે પી શકો છો, તે સાથે લોહીમાં હિમોગ્લોબિન વધારવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. હકીકતમાં દાડમમાં આયર્ન અને વિટામિન સી ભરપુર માત્રામાં રહેલુ છે. તેથી દાડમનો જ્યુસ પીવાથી શરીરમાં લોહીની માત્રામાં વધારો થાય છે, તે સાથે જ ઓક્સિજનની સપ્લાય પણ વધારે સારી રીતે થઇ શકશે.

2. બીટનો જ્યુસ
શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે બીટનો જ્યુસ પી શકો છો. ગરમીમાં આ જ્યુસ તમને લોહીમાં હિમોગ્લોબિનના લેવલ ઓછુ હોય છે, તો બીટનો જ્યુસનું સેવન ખાસ કરો. બીટમાં આયર્ન ભરપુર માત્રામાં હોય છે, તે સાથે પોર્ટેશિયમ, વિટામિન સી અને મેંગ્નિઝ ભારે માત્રામાં મળી આવે છે. દિવસ દરમિયાન તમે એક કપ બીટનો જ્યુસ પી શકો છો.

3. પાલકનો જ્યુસ
શરીરમાં હિમોગ્લોબિનનો સ્તર ઓછુ થવા પર તમે પાલકનો જ્યુસ અથવા સ્મૂદી પી શકો છો. સામાન્ય રીતે શિયાળામાં પાલક વધારે જોવા મળે છે. પરંતુ તમારે હિમોગ્લોબિનની ઉણપ હોય તો ગરમીમાં પણ પાલકના જ્યુસનું સેવન કરી શકો છો. પાલકમાં આયર્ન, વિટામિન એ, વિટામિન સી જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. આ શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow