શરીર માટે કેટલી માત્રામાં કેલરી જરૂરી? આજે જ જાણી લો પરફેક્ટ કેલ્ક્યુલેશન અને રહો મોજમાં

શરીર માટે કેટલી માત્રામાં કેલરી જરૂરી? આજે જ જાણી લો પરફેક્ટ કેલ્ક્યુલેશન અને રહો મોજમાં

વજન ઘટાડવાની વાત આવે ત્યારે ડાયટિંગ અને એક્સર્સાઇઝ દ્વારા કેલરી ઇનટેક ઘટાડવી જરૂરી હોય છે. કેલરી ઊર્જાનું એવું એકમ છે, જે શારીરિક ઊર્જા સાથે જોડાયેલું છે. આપણે શ્વાસ લેવાથી હૃદય ધડકવા સુધીની ક્રિયાઓ કેલરી દ્વારા કરીએ છીએ તો આવો, આજે આપણે પરેશાન કરતી આ કેલરીનું કેલ્ક્યુલેશન સમજી લઈએ.

કેટલી માત્રામાં કેલરી લેવી જરૂરી છે? એ સમજો
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એક સ્વસ્થ મહિલાને રોજની ૧૮૦૦-૨૨૦૦ અને પુરુષને ૨૦૦૦-૨૫૦૦ કેલરીની જરૂર હોય છે. આવું એટલે કેમ કે મહિલાઓ પુરુષોની સરખામણીમાં વધુ કેલરી ખર્ચ કરે છે.

વજન ઘટાડવા માટે કેટલી કેલરી બર્ન કરવી પડે?
કેલરી ઇનટેક ઘટાડવા માટે વજન, ઉંમર અને સ્વાસ્થ્ય મુજબ સલાહ અપાય છે, વેઇટ વધુ હોય તો તમારે રોજ ૫૦૦થી ૧૦૦૦ કેલરી બર્ન કરવાની જરૂર હોય છે.

સવારનો નાસ્તો સૌથી જરૂરી
બ્રેકફાસ્ટ દિવસનું સૌથી જરૂરી ભોજન હોય છે, જે મેટાબોલિઝમ વધારે છે. આવા સંજોગોમાં ખોટો નાસ્તો વજન ઘટાડવામાં બાધારૂપ બની શકે છે. વજન ઘટાડવા માટે નાસ્તામાં પ્રોટીનયુક્ત આહાર લેવો જોઇએ. ધ્યાન રાખો કે દિવસભર તમારે કેટલી કેલરી બર્ન કરવાની છે, તેના ૧૫ ટકા નાસ્તામાં હોવા જોઇએ.

બપોરના ભોજનમાં શાકભાજી પર ભાર મૂકો
કેલરીનો લગભગ ૫૦ ટકા હિસ્સો લંચમાંથી ખર્ચાવો જોઇએ. આ માટે બપોરના ભોજનમાં કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, પ્રોટીન જેવા આહારનું સેવન કરો. આ માટે તમે શાકભાજી ખાઇ શકો છો.

સ્નેક્સ ખાસ લો
વજન ઘટાડવા અને કેલરી બર્ન કરવા માટે ૧૫ ટકા સ્નેક્સમાંથી પૂરું કરો. સાંજે કે બપોરના સ્નેક્સમાં ફળો, સૂકો મેવો, દૂધ, જ્યૂસ, બીન્સ કે લો કેલરી પેનકેક લો.

ડિનરમાં ઝીણું અનાજ લેવું સારું
બાકી બચેલા ૨૦ ટકા તમારે ડિનરમાંથી પૂરા કરવાના છે. ડિનરમાં તમે કાર્બનયુક્ત ઝીણું અનાજ લો, સાથે-સાથે સૂવાના બે કલાક પહેલાં ભોજન કરી લો. ડિનર બાદ ૧૫ મિનિટ ચાલવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળશે, તેનાથી પાચનક્રિયા પણ ખૂબ જ સારી બનશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow