હનીટ્રેપમાં ફસાવવા બે યુવકોનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી

હનીટ્રેપમાં ફસાવવા બે યુવકોનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી

પાટણ શહેરમાં મોતીશા દરવાજા વિસ્તારમાં રહેતા એક યુવકને હની ટ્રેપમાં ફસાવી તેના મિત્ર સાથે અપહરણ કર્યા બાદમાં તેને અને તેના ભાઈને માર મારતા બંનેને ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી છે. આ ઘટનામાં એક અજાણી મહિલા સહિત 8 જેટલા શખ્સો સામે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા પોલીસે આરોપીઓને પકડવા દોડધામ હાથ ધરી હતી.

શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં રહેતા રાહુલ રાજુભાઇ પટણીના ભાઇ ગૌરવને અજાણી સ્ત્રી પાસે ફોન કરાવી 30 ઓક્ટોબરના રોજ ફોન કરી લીલીવાડી પાસે કેટલાક શખ્સોએ હની ટ્રેપમાં ફસાવવાના ઈરાદે બોલાવ્યો હતો તે ત્યાં જતાં આરોપીઓ ઠાકોર ચંપુજી , ઠાકોર સુરજસિંહ અને બે અજાણ્યા ઇસમોએ એક ગાડી તેમજ બાઇકો ઉપર પીછો કરી લીલીવાડી સામે રોડની સાઇડમાં આરોપી સ્ત્રીને મળવા મોકલી આરોપીઓ તેની પાસે જઇ છોકરીને હેરાન કરે છે તેમ કહી બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી પ્રગતી મેદાન લઇ ગયા હતા અને છોકરી સાથે ગૌરવનો ફોટો પાડી ત્યાંથી મેલડી માતાના મંદીર નજીક તેમજ અધાર ગામની સીમમાં લઇ જઇ માર મારી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી હતી.

ત્યાં સહ આરોપીઓ સ્ત્રી સીવાયના આવી ખંડણી આપી દેવા દબાણ કર્યુ હતું. પણ ગૌરવના ભાઈ રાહુલ પટણીએ ખંડણી નહી આપતાં આરોપીઓએ ગૌરવને ગાડીમાં ગોંધી રાખી પાટણ રેલ્વે સ્ટેશન નજીક એક કોમ્પ્લેક્ષ નજીક ગાડીમાં લાવી બે અજાણ્યા આરોપીઓએ વોચમાં રહી પકડી રાખ્યો હતો .

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow