કોરોના પર PMOની હાઈ લેવલ મીટિંગ, બે પોઈન્ટથી વાયરસ સામે લડાશે, અધિકારીઓને અપાયા નિર્દેશ

કોરોના પર PMOની હાઈ લેવલ મીટિંગ, બે પોઈન્ટથી વાયરસ સામે લડાશે, અધિકારીઓને અપાયા નિર્દેશ

ચીન સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસના કેસોમાં ઉછાળા વચ્ચે શનિવારે એક ઉચ્ચ અધિકારીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  

આ દરમિયાન વડાપ્રધાન મોદીના અગ્રસચિવ પીકે મિશ્રાએ દેશમાં કોરોનાની સમીક્ષા કરવા માટે બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં અધિકારીઓ અને આરોગ્ય નિષ્ણાતોએ જોડાયા હતા. આ દરમિયાન મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે ડિસેમ્બરમાં લગભગ 500 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા,  

જેની દેશભરની INSACOG લેબમાં તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મિશ્રાએ 22 ડિસેમ્બરે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ પીએમ દ્વારા જારી કરાયેલા નિર્દેશોને અનુસરવા માહિતી આપી હતી.


વધુને વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવા સૂચના

જાણવા મળતી વિગત અનુસાર આ બેઠકમાં અધિકારીઓને કોરોનાના નવા વેરિયન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના અપાઈ હતી. ઉપરાંત, દેશમાં ટેસ્ટિંગ વધારવા અને મોનિટરિંગને મજબૂત કરવા પર ભાર મુકાયો હતો. તેમજ વધુને વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવા સૂચના અપાઈ છે અને  આ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂર હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો કોરોના સામે કેન્દ્ર અને રાજ્ય સરકારે સહયારા પ્રયાસ કરવા પણ જણાવાયું હતી.

ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, સ્ટાફ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા સુચન

બેઠક દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ માહિતી આપી હતી કે વાણિજ્ય મંત્રાલયને ચીનમાં તબીબી ઉત્પાદનો અને ઉપકરણોની નિકાસ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.  

મહત્વનું છે કે 27મી ડિસેમ્બરના રોજ તમામ આરોગ્ય કેન્દ્રો પર મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. કોરોનાને લાગતી વ્યવસ્થા કરવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જેમાં ભાગ લીધો હતો. ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, લોજિસ્ટિક્સ અને સ્ટાફ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે 21,097માં મોકડ્રીલ યોજાઈ હતી.  

જેમાંથી 16,108 સરકાર દ્વારા સંચાલિત હતી. બીજી બાજુ કોવિડ રસીકરણ અંગે અધિકારીઓ અને નિષ્ણાતો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે કોવિડ રસીના 220 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 102.56 કરોડ પ્રથમ ડોઝ અને 95.13 કરોડ બીજા ડોઝના લાભાર્થીઓને આપી દેવાયા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow