સજાતીય લગ્નને કાયદેસર કરવાની માગ પર સુનાવણી

સજાતીય લગ્નને કાયદેસર કરવાની માગ પર સુનાવણી

સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા મુદ્દે રાજસ્થાન,આંધ્રપ્રદેશ અને આસામ સરકારે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.સુપ્રીમકોર્ટે બુધવારે 9મા દિવસે આ મુદ્દે દલીલો સાંભળી હતી. કેન્દ્ર સરકારે 18 એપ્રિલે રાજ્ય સરકારોને આ અંગે પત્ર લખી પોતાની પ્રતિક્રિયા આપવા જણાવ્યું હતું. જે અન્વયે ચીફ જસ્ટિસ DY ચંદ્રચૂડની બેન્ચ સમક્ષ રાજ્યોનો પક્ષ રાખવામાં આવ્યો હતો.

આંધ્રપદેશ સરકારે પોતાના જવાબમાં કહ્યું કે પોતે ધાર્મિક ગુરુઓ,સંતો પાસે અભિપ્રાય માંગ્યો હતો પરંતુ તમામે સમલૈંગિક વિવાહને કાનૂની માન્યતા આપવા મુદ્દે વિરોધ કર્યો છે.રાજ્ય સરકાર ફક્ત સમલૈંગિક જ નહીં પરંતુ એલજીબીટીક્યુઆઇએ સમુદાયનાં લગ્નને માન્યતા આપવાના પણ વિરોધમાં છે.

આસામે કહ્યું કે સમલૈંગિક અને એલજીબીટીક્યુઆઇએ સમુદાયનાં લગ્નને કાનૂની માન્યતા આપવાથી પ્રવર્તમાન લગ્નપ્રથા અને અંગત કાયદાઓની માન્યતા પર અનેક સવાલ ઊભા થશે.વિવાહ એ સામાજિક માન્યતા છે,તેથી તેને માત્ર કાયદાકીય રીતે ના જોવું જોઇએ.

સામાજિક ન્યાય વિભાગના અહેવાલને ટાંકતા રાજસ્થાન સરકારે જણાવ્યું કે રાજ્યના સામાજિક ન્યાય વિભાગના રિપોર્ટ મુજબ સમલૈંગિક લગ્નને માન્યતા આપવાથી સામાજિક સંતુલન અસ્તવ્યસ્ત થઇ જશે. તેનાથી સામાજિક અને પારિવારિક વ્યવસ્થા પર અસર પડશે. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સે પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે કે સમલૈંગિક વિવાહ જનભાવનાની વિરુદ્ધ છે.રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું કે જો જનમત તેના પક્ષમાં હશે તોપણ એ વિધાનસભા પર નિર્ભર છે કે તેની પર કાયદો બનાવવો કે નહીં ? જોકે સરકારને સમલૈંગિકોની સાથે રહેવા પર કોઇ આપત્તિ નથી.મહારાકષ્ટ્ર,યુપીએ સમય માંગ્યો : સમલૈંગિક લગ્ન પર પોતાનો પક્ષ રજૂ કરવામાં મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ,મણિપુર અને સિક્કીમે થોડોક વધુ સમય આપવાની માંગ કરી છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow