રાજકોટમાં સન્ની પાજી દા ઢાબામાં ફરી આરોગ્ય વિભાગના દરોડા

રાજકોટમાં સન્ની પાજી દા ઢાબામાં ફરી આરોગ્ય વિભાગના દરોડા

રાજકોટમાં સ્વાદના શોખીન લોકોની કમી નથી. એટલે જ જીભને ચટાકો મળે તેવો ખોરાક આરોગવામાં રાજકોટીયન્સ અગ્રીમ હરોળમાં આવે છે. જેને પગલે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રેસ્ટોરાંમાં દરોડા પાડવામાં આવે છે જેથી સ્વાદના નામે ભેળસેળિયા ખોરાકનું વેચાણ અટકે ત્યારે શહેરમાં ફાસ્ટફૂડ અને ખાસ તો પંજાબી વાનગીઓ માટે પ્રખ્યાત 'સન્ની પાજી દા ઢાબા'માં ફેફસા માટે હાનીકાર સીન્‍થેટીક ફૂડ કલર મળી આવ્યો છે. મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ સીન્‍થેટીક ફૂડ કલર એટલો જોખમી છે કે તેનું સેવન કરવાથી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે. જેને પગલે મનપા દ્વારા રૂ.6 લાખનો દંડ સન્ની પાજી'ના સંચાલકોને ફટકારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે 7 મહિના પૂર્વે પણ સન્ની પાજી દા ઢાબા રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કિચનમાં ખૂબ જ ગંદકી જોવા મળી હતી. ફ્રીઝ અને સ્ટોરેજમાં જીવાત, સડેલા બટેટા અને બિન આરોગ્યપ્રદ શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો. શાકમાં પ્રતિબંધિત આજીનો મોટોના ઉપયોગ અને ગ્રેવી શાકમાં કેમિકલ કલર મળી આવ્યો હતો. ફ્રીઝમા વાસી લોટ, શાકભાજી, મંચ્યુરીયન ગ્રેવી સહિત 12 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોમર્શિયલ કોમ્પલેક્સમાં રસોડુ અને સ્ટોરેજ બનાવવામાં આવ્યાનું ખુલ્યું હતું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow