વધુ પડતી સિગારેટ પીવાની છે આદત? તો સાવધાન, આજથી જ ફેફસાંને હેલ્ધી રાખવા ડાયટમાં સામેલ કરો આ ચીજ

વધુ પડતી સિગારેટ પીવાની છે આદત? તો સાવધાન, આજથી જ ફેફસાંને હેલ્ધી રાખવા ડાયટમાં સામેલ કરો આ ચીજ

ફેફસાં આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફેફસાંથી ફિલ્ટર થયા બાદ જ ઓક્સીજન આપણા આખા શરીરમાં પહોંચે છે. એવામાં ફેફસાંનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વાયુ પ્રદુષણ, ધુર્મપાન વગેરેની ફેફસા પર વધારે ખરાબ અસર પડે છે.

આ બધી વસ્તુઓના કારણે શ્વાસ સાથે સંબંધિત બીમારીઓ જેવી કે અસ્થમા, બ્રોકાઈટિસ, નિમોનિયા, ટીબી, કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. ફેફસાને હેલ્ધી રાખવા માટે જરૂરી છે કે તમે દરરોજ એક્સરસાઈઝ કરો અને હેલ્ધી ડાયેટ લો.

લાંબા સમય સુધી ફેફસાં રાખશે સ્વસ્થ્ય
હેલ્ધી ડાયેટની મદદથી તમે લાંબા સમય સુધી પોતાના ફેફસાંને સ્વસ્થ્ય રાખી શકો છો. ભારતની વાત કરવામાં આવે તો અહીં વાયુ પ્રદુષણ અને ધુમ્રપાનના કેસ વધવાના કારણે ફેફસાથી સંબંધિત સમસ્યાઓનો સામનો ખૂબ વધારે કરવો પડે છે. જો તમે પોતાના ફેફસાને હેલ્ધી રાખવા માંગો છો તો તેના માટે જરૂરી છે કે તમે પોતાની ડાયેટમાં હેલ્ધી વસ્તુઓને શામેલ કરો.

અખરોટ
એક રિપોર્ટ અનુસાર અખરોટમાં ભરપૂર પ્રમાણમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ડાયેટમાં દરરોજ એક મુઠ્ઠી અખરોટ શામેલ કરવાથી તમે ફેફસાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. આ શ્વાસની મુશ્કેલીઓ એટલે કે અસ્થમામાં પણ ફાયદો કરે છે.

ફેટી ફિશ
જે માછલીમાં ફેટની માત્રા વધારે હોય છે તેનું સેવન ફેફસા માટે પણ ફાયદાકારક હોય છે. તેમાં જરૂરી માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.

બેરી
કોઈ પણ પ્રકારની બેરીઝનું સેવન કરવાથી ફેફસાં સ્વસ્થ્ય રહે છે. બેરીઝમાં એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા કે વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે.

બ્રોકલી
એન્ટી-એક્સીડેન્ટ્સથી ભરપૂર બ્રોકલી ફેફસાંના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બ્રોકલી ફેફસાં ઉપરાંત શરીરના સ્ટેમિના માટે પણ સારૂ માનવામાં આવે છે.

આદુ
આદુમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે તે ફેફસાના પ્રદૂષણને બહાર કાઢવામાં મદદ કરે છે. આદુનું સેવન કરવાથી ફેફસાનો વાયુ માર્ગ ખુલી જાય છે અને ઓક્સીજનનું સર્કુલેશન સારી રીતે થઈ શકે છે. સાથે જ આ ફેફસાંના હેલ્થ માટે ફાયદાકારક સાબિત થાય છે.

સફરજન
હેલ્ધી ફેફસા માટે દરરોજ સફરજનનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામિન્સ ફેફસાને હેલ્ધી રાખે છે. એક રિસર્ચ અનુસાર ફેફસા માટે વિટામિન-ઈ, સી, બીટા કેરેટીન અને ખાટા ફળ ખૂબ જ સારા માનવામાં આવે છે.

અળસી
એક રિસર્ચ અનુસાર અળસી ખાવાથી ફેફસા ડેમજ થવાથ બચે છે સાથે જ ડેમજ થયા બાદ પણ અળસી તેને ઠીક કરી શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow