બાળકીને ઉઠાવી જનારી બંગડીની જેેમ હથકડી કાઢી ફરાર, ઉદવાડાથી ઝડપાઈ

બાળકીને ઉઠાવી જનારી બંગડીની જેેમ હથકડી કાઢી ફરાર, ઉદવાડાથી ઝડપાઈ

ચાર દિવસ અગાઉ સુરતના રેલવે સ્ટેશનથી છ વર્ષની બાળકીનું અપહરણ કરી કડોદરા લઈ જનારી એક મહિલા પકડાઈ હતી. પોલીસ મથકમાં મહિલા લોકઅપ ન હોવાથી આરોપી રિન્કુદેવી ઉર્ફે પાયલને ચાર દિવસથી હથકડી પહેરાવીને બહાર રખાઇ હતી. સોમવારે સવારે છ વાગ્યે બંગડી કાઢે તેવી જ રીતે હથકડી કાઢી નાંખી બાથરૂમના બહાને ચકમો આપી ભાગી પ્લેટફોર્મ નં-1 ઉપર પહોંચી ગઇ હતી અને બાદમાં ટ્રેક કૂદી પ્લેટફોર્મ નં-2 પર પહોંચી હમસફર એક્સપ્રેસમાં બેસી ઉદવાડા પહોંચી ગઇ હતી. મુંબઇ સુધી પોલીસને એલર્ટ કરી અને સુરત પોલીસની એક ટીમને પણ રવાના કરાઈ હતી.

ઉદવાડા સ્ટેશન નજીક ટીસી દ્વારા મહિલા પાસેથી ટિકિટ માંગી હતી, પરંતુ તેની પાસે ટિકિટ ન મળતા નાગરિક સમજી ઉદવાડા સ્ટેશને ઉતારી દેવાઇ હતી અને પોલીસને જાણ કરાઇ હતી. આ દરમિયાન ત્યાં સુરત પોલીસનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો. તેઓએ રિન્કુદેવીને પકડી લીધી હતી. સોમવારે રિન્કુદેવીના પાંચ દિવસના રિમાન્ડ પુરા થવાના હોય પોલીસે તેને રેલવે કોર્ટમાં રજૂ કરીને ત્યારબાદ લાજપોર જેલમાં મોકલી આપી હતી.

રેલવે પોલીસ મથકમાં મહિલા લોકઅપ જ નથી
સુરત રેલવે પોલીસ મથકમાં મહિલા લોકઅપ નથી. જ્યારે કોઇ મહિલા આરોપી પકડાઇ ત્યારે લોકઅપની બહાર જ રાખવામાં આવે છે અને બાદ તેને લાજપોર જેલ મોકલાય છે, હાલના અપહરણના કેસમાં પણ પાંચ દિવસથી રિન્કુદેવી ઉર્ફે પાયલને લોકઅપની બહાર જ રાખવામાં આવી હતી. શરીરે પાંતળા બાંધાની રિન્કુદેવીએ ખુબ જ સર્તકતાથી હથકડી કાઢી નાંખી હતી.

બાળકીને મુંબઇ વેચવાનું ખૂલ્યું, આરોપી વોન્ટેડ
5 દિવસ પહેલા રિન્કુદેવીએ જે બાળકીનું અપહરણ કર્યું તે બાળકીને મુંબઇમાં વેચી દેવાનો પ્લાન હતો. પાંચ દિવસના રિમાન્ડમાં રિન્કુદેવીએ પોલીસને મુંબઇના યુવકની વિશે માહિતી આપી હતી. આ માહિતીના આધારે પોલીસ મુંબઇ સુધી જઇ આવી હતી, પરંતુ ત્યાંથી પોલીસને તે યુવક મળ્યો ન હતો અને વિલા મોંએ પરત ફરી હતી.જોકે, હાલમાં આ યુવકને શોધવાના ચક્રો ગતિમાન કરાયા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow