સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત 65 ટકા હિસ્સા સાથે હબ

સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત 65 ટકા હિસ્સા સાથે હબ

વૈશ્વિક સ્તરે રિન્યુએબલ એનર્જીનો વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગમાં ઝડપભેર આગળ વધી રહ્યું છે. દેશમાં કુલ મોડયુલ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતનો હિસ્સો 65 ટકાથી વધુ રહેવા સાથે ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે.

આ સેક્ટરમાં અઢળક તક રહેલી છે તેમજ ટેક્નોલોજીના માધ્યમથી આ સેક્ટર ઝડપભેર આગળ વધશે તેવો નિર્દેશ ગોલ્ડી સોલરના મેનેજિંગ ડિરેક્ટર ઈશ્વર ધોળકિયાએ દર્શાવ્યો હતો. ગુજરાતમાં આ સેક્ટરમાં 5000 કરોડથી વધુનું રોકાણ આવી રહ્યું છે.

ભારત 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી 65 ટકાથી વધુ વીજ ઉત્પાદન મેળવશે તેવા અહેવાલ પાછળ સેક્ટરને વેગ આપવામાં આવી રહ્યો છે. ઉત્પાદન લિંક્ડ સ્કીમ (PLI) સ્કીમ સહિત કેન્દ્રની પહેલ ભારત પાસે 90 ગીગાવોટ સોલર મોડ્યુલ ક્ષમતા હોવાની ખાતરી કરે છે. ભારત 2030 સુધીમાં 35-40 મિલિયન ટન ગ્રીન હાઈડ્રોજન કેપેસિટીનું આયોજન કરી રહ્યું છે ત્યારે રિન્યુએબલ એનર્જીની ભારે માંગ રહેશે.

સ્થાપિત સોલાર એનર્જી ક્ષમતામાં છેલ્લાં 8 વર્ષમાં 19.3 ગણો વધારો થયો છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા રચવામાં આવેલી સમિતિ અનુસાર 2030 સુધીમાં 500 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત કરવાની ભારતની યોજનામાં ઓછામાં ઓછા 2.44 લાખ કરોડનું રોકાણ સામેલ હશે. ગુજરાત પછી આ સેગમેન્ટમાં રાજસ્થાન, હૈદરાબાદ, કલકત્તા અને મહારાષ્ટ્ર આવે છે. સોલાર એનર્જી સુધી વધુ સારી પહોંચ અને વધુ રોજગારીની તકોને ધ્યાનમાં રાખીને અનુસરવામાં આવ્યો હતો.

જો આ મહત્વાકાંક્ષી લક્ષ્ય હાંસલ કરવામાં આવશે તો ભારત કેટલાક વિકસિત દેશોને પણ પાછળ છોડીને વિશ્વમાં ગ્રીન એનર્જીના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક બની જશે. ભારતમાં કુલ 160.92 GW નવીનીકરણીય ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે. નવી ટેક્નોલોજીના કારણે સ્થાનિક સોલાર ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા અને પ્રોત્સાહિત કરવા માટે DCR PV મોડ્યૂલ્સનો ઉપયોગ ફરજિયાત કરે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow