ગુજરાત પ્લેઑફ માટે ક્વોલિફાય થનારી પહેલી ટીમ

ગુજરાત પ્લેઑફ માટે ક્વોલિફાય થનારી પહેલી ટીમ

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનના પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે. આ ટીમ પ્લેઓફમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને ઘરઆંગણે 34 રનથી હરાવ્યું હતું. પોઇન્ટ્સ ટેબલમાં ગુજરાતના 18 પોઇન્ટ્સ થઈ ગયા છે. અને ટૉચ પર સ્થાન મજબૂત બનાવ્યું છે. આ સાથે જ ગુજરાત સતત બીજા વર્ષે પ્લેઑફમાં પહોંચી છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ બહાર થઈ ગયું છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 9 વિકેટે 154 રન જ બનાવી શકી હતી.

ક્લાસેનની બીજી અડધી સદી
હેનરિક ક્લાસને કારકિર્દીની બીજી અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. વર્તમાન સિઝનમાં પણ ક્લાસેનની આ બીજી અડધી સદી છે. તે 145.45ના સ્ટ્રાઈક રેટથી 44 બોલમાં 64 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.

189 રનના ટાર્ગેટને ચેઝ કરતા હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 6 ઓવરમાં 45 રન બનાવીને ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અનમોલપ્રીત સિંહ 5, અભિષેક શર્મા 4, રાહુલ ત્રિપાઠી 1 અને કેપ્ટન એડન માર્કરમ 10 રન બનાવીને આઉટ થયા હતા. શમીએ આમાંથી ત્રણને આઉટ કર્યા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow