Covaxinને લઈ સરકારની સ્પષ્ટતા

Covaxinને લઈ સરકારની સ્પષ્ટતા

કોરોનાની રસી કોવેક્સિન વિશે ફેલાતી અફવાઓ પર ભારત સરકારે પૂર્ણ વિરામ મૂક્યું છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ભારત બાયોટેકની રસી કોઈપણ રાજકીય દબાણ હેઠળ મંજૂર કરવામાં આવી નથી. મીડિયા પર આ અંગે ચાલી રહેલી માહિતી ખોટી છે, તેઓ જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. કોવેક્સિનને મંજૂરી આપતા પહેલા તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું છે.

રોગચાળા દરમિયાન પણ ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી: ભારત બાયોટેક

‌‌​​​​​​​હવે ભારત બાયોટેકે પણ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો અને જૂથોએ કોવેક્સિન વિશે ખોટી માહિતી ફેલાવી છે, અમે તેની નિંદા કરીએ છીએ. ફક્ત તે જ લોકો આ કરી રહ્યા છે, જેમને રસી અથવા વેક્સિન વિજ્ઞાન વિશે કોઈ જ્ઞાન નથી. આ લોકોએ રોગચાળા દરમિયાન પણ ખોટા સમાચાર ફેલાવવામાં મદદ કરી હતી. કોવેક્સિનના ઉત્પાદનને લઈને કંપની પર કોઈ દબાણ નહોતું.

કેટલીક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકારે રાજકીય દબાણને કારણે સ્વદેશી કોવેક્સિનને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા વિના ઉપયોગની મંજૂરી આપી દીધી હતી. તેની સાથે કંપની પર વેક્સિનનું ઉત્પાદન વધારવાનું દબાણ હતું. જેમાં નિયમોની પણ અવગણના કરવામાં આવી હતી. હવે ભારત સરકારે આ રિપોર્ટને અફવા ગણાવી છે.

‌3 જાન્યુઆરી 2021ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતની સ્વદેશી વેક્સિન ભારત બાયોટેકની Covaxinને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. અત્યાર સુધીમાં દેશભરમાં 200 કરોડથી વધુ કોરોના રસી આપવામાં આવી છે. હાલમાં સરકાર દ્વારા લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.

‌‌

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow