Google લઇને આવ્યું છે શાનદાર ફીચર્સ, હવે કોઇને મેસેજ મોકલવા તમારે રાહ નહીં જોવી પડે, ઓટોમેટિક જ થઇ જશે સેન્ડ

Google લઇને આવ્યું છે શાનદાર ફીચર્સ, હવે કોઇને મેસેજ મોકલવા તમારે રાહ નહીં જોવી પડે, ઓટોમેટિક જ થઇ જશે સેન્ડ

ગૂગલ તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતું રહે છે. લેટેસ્ટ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું છે. તેની મદદથી યુઝર્સ ટેક્સ્ટ મેસેજ શેડ્યૂલ કરી શકે છે. એટલે કે મેસેજ લખીને તે સમય જણાવો કે ક્યારે મોકલવાનો છે અને મેસેજ આપોઆપ મોકલવામાં આવશે. આ સુવિધા ઘણા કિસ્સાઓમાં કામમાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, તમે કોઈના જન્મદિવસ પર સંદેશ અગાઉથી શિડ્યૂલ કરી શકો છો. આ માટે તમારે રાત્રે જાગીને રાહ જોવી પડશે નહીં. તમે Google મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ કરી શકો છો. ગૂગલની આ એપ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલી છે.

આમાં તમને માત્ર સરળ મેસેજિંગ ફીચર્સ જ નહીં પરંતુ ઘણા અદભૂત ફીચર્સ મળશે. જોકે, હવે મોટી સંખ્યામાં લોકો મેસેજિંગ માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે આ એપના ઘણા ફીચર્સ લોકોનું ધ્યાન નથી જતા.

આ મેસેજના શિડ્યુલ કરવાની રીત
સૌથી પહેલા તમારે Google Messages App  પર જવું પડશે. બાદમાં તમારે કન્વર્સેશન પર ગયા બાદ મેસેજ ટાઈપ કરવો પડશે. જે બાદ તમારે સેન્ડ બટન  દબાવી રાખવું પડશે અને રાહ જોવી પડશે. થોડાક સમય રાહ જોયા બાદ તમને એક ઓપ્શન દેખાશે. એમાં તમને ત્રણ ડિફોલ્ટ સમયનાં ઓપ્શન મળશે. એના સિવાય તમને સમય અને ટાઈમ સેટ કરવાનું પણ ઓપ્શન દેખાશે. જેને કન્ફર્મ કરવું પડશે.

કોઈ પણ મેસેજને શિડ્યુલ કરી શકો છે

આ રીતે તમે કોઈ પણ મેસેજને શિડ્યુલ કરી શકો છો. વપરાશકર્તા પાસે શિડ્યુલ મેસેજને એડિટ કરવાનો તેમજ તેને તરત મોકલવાનો અને ડિલીટ કરવાનો પણ ઓપ્શન આપવામાં આવ્યું છે. જેથી ખૂબ જ સરળતાથી તમે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન પર કોઈ પણ મેસેજને શિડ્યુલ કરી શકો છો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow