Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
taj mahal

ખુશખબર: આજથી 25 નવેમ્બર સુધી તમામ ઐતિહાસિક સ્મારકોમાં એન્ટ્રી ફ્રી, તાજમહેલ જોવા પણ નહીં આપવા પડે પૈસા

Gujaratnow2 min read
ખુશખબર: આજથી 25 નવેમ્બર સુધી તમામ ઐતિહાસિક સ્મારકોમાં એન્ટ્રી ફ્રી, તાજમહેલ જોવા પણ નહીં આપવા પડે પૈસા

ભારતમાં 19 નવેમ્બરથી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે "19 નવેમ્બરે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સ્મારકો એટલે કે ઐતિહાસિક સ્થળોએ તાજમહેલમાં વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆતના અવસરે બધા માટે પ્રવેશ મફત રહેશે."

પુરાતત્વ વિભાગે આપી જાણકારી
આગરામાં તાજમહેલ સહિત કોઈપણ પુરાતત્વીય સ્મારકો માટે કોઈ પ્રવેશ ફી લેવામાં આવશે નહીં. ASIએ વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે શુક્રવારે સાંજે ટ્વીટ કર્યું, "19મી નવેમ્બરે વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત નિમિત્તે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણના સ્મારકોમાં પ્રવેશ મફત રહેશે.

આગરા અને અન્ય સ્થળોએ ફ્રી એન્ટ્રી ઉપલબ્ધ રહેશે
ASI ના અધિક્ષક પુરાતત્વવિદ્ (આગ્રા સર્કલ) રાજ કુમાર પટેલે જણાવ્યું હતું કે, "પ્રવાસીઓ - ભારતીય અને વિદેશી નાગરિકોને તાજમહેલ, આગ્રાનો કિલ્લો, ફતેહપુર સિકરી અને અન્ય ASI-સંરક્ષિત સ્મારકોમાં 19 નવેમ્બરે મફત પ્રવેશ આપવામાં આવશે.

તાજમહેલની કબર પર જવા માટે ટિકિટ ખરીદવી પડશે
જોકે ડિરેક્ટરે ધ્યાન દોર્યું હતું કે "તાજમહેલમાં પ્રવેશ મફત છે, પ્રવાસીઓએ સ્મારકની અંદરના મુખ્ય કબરની મુલાકાત લેવા માટે 200 રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે, જે મફત નથી.

19-25 નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ વીક દરમિયાન સ્મારકો પર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનની ભાવનાની ઉજવણી કરવા માટે ભારત દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે (18 એપ્રિલ) અને વર્લ્ડ હેરિટેજ વીક (19-25 નવેમ્બર)નું આયોજન કરે છે. તેમાં ટિકિટવાળા સ્મારકોમાં મફત પ્રવેશ, વર્લ્ડ હેરિટેજ પરના પુસ્તકોનું પ્રકાશન, ચિત્ર સ્પર્ધાઓ અને બાળકો માટે પ્રવાસનો સમાવેશ થાય છે.

જાણો આ દિવસની ઉજવણીનો હેતુ
ઉલ્લેખનીય છે કે યુનેસ્કોના સભ્ય દેશોએ 1972માં વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનને અપનાવ્યું હતું. 191 રાજ્ય પક્ષોએ ભારત સહિત વિશ્વ ધરોહર સંમેલનને બહાલી આપી છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ વિશ્વના તમામ લોકોની છે, પછી ભલે તે ક્યાંય પણ સ્થિત હોય.

Gujaratnow2 min read

Related News