ઈઝરાયલમાં સામાન્ય ચૂંટણી

ઈઝરાયલમાં સામાન્ય ચૂંટણી

ઈઝરાયલમાં સામાન્ય ચૂંટણીના મતદાન બાદ મતગણતરી ચાલુ છે. 85 ટકા મતોની ગણતરી થઈ ચૂકી છે. શરૂઆતના ટ્રેન્ડ મુજબ પૂર્વ પીએમ બેન્ઝામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટી જીતી શકે છે. લિકુડ પાર્ટીને 31 સીટો મળશે અને તે કટ્ટરવાદી જમણેરી અને રુઢિવાદી યહૂદી પક્ષો સાથે મળીને બહુમત પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે.

40 પક્ષો એવા છે જેમને 3.25% વોટ ટર્નઓવર પણ નથી મળી રહ્યું એટલા માટે તે નિસેટ(સંસદ) નહીં પહોંચી શકે. નિષ્ણાતો અનુસાર નેતન્યાહૂ જીતશે તો પેલેસ્ટિનીઓને રોકવા માટે બની રહેલી દીવાલનું કામ આગળ વધી શકે છે. નેતન્યાહૂ માને છે કે આંતકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અસરદાર રીતે લાગુ કરવા દીવાલ ઊભી કરવી જરૂરી છે.

ધાર્મિક ઝાયોનિઝમ પાર્ટીના નેતા અને નેતન્યાહૂના ગઠબંધન સહયોગી બેન ગ્વિરે માગ કરી છે કે તેમને નવી સરકારમાં આંતરિક સુરક્ષા મંત્રી બનાવાય. તેનાથી પોલીસ વિભાગ તેમની હસ્તક આવી જશે. બેન 2007માં જાતિવાદ ઉશ્કેરવા બદલ દોષિત જાહેર થયા હતા. તે પ્રતિબંધિત કચ આતંકવાદી જૂથના સમર્થક પણ રહ્યા છે.

નેતન્યાહૂ પીએમ બનશે તો ભારત અને ઈઝરાયલ બંને દેશ આતંકવાદ, ટેક્નોલોજી અને દ્વિપક્ષીય વેપાર પર એકસાથે કામ કરી શકે છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ થઈ શકે છે. નેતન્યાહૂ અને પીએમ મોદી વચ્ચે સારા સંબંધો રહ્યા છે. મોદી ભારતના પહેલા પીએમ છે જેમણે ઈઝરાયલની મુલાકાત લીધી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow