નર્મદા ડેમનું રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરાતાં ગરુડેશ્વર કોઝવે ઓવરફલો

નર્મદા ડેમનું રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરાતાં ગરુડેશ્વર કોઝવે ઓવરફલો

નર્મદા ડેમથી 12 કિમીના અંતરે આવેલો ગરૂડેશ્વર કોઝ વે ઉનાળામાં ઓવરફલો થઇ રહયો છે. ઉનાળામાં જયાં નર્મદા નદી સુકીભઠ બની જતી હોય છે તેવામાં કોઝવે 3 મીટરની સપાટીથી ઓવરફલો થઇ રહ્યો છે અને તેનું કારણ છે ડેમમાં પાણીની આવક થઇ રહી હોવાથી રીવરબેડ પાવરહાઉસના ટર્બાઇન ચાલુ કરી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

કેવડિયા ખાતે આવેલાં નર્મદા ડેમની સપાટી 129.61 મીટર છે. મધ્યપ્રદેશમાં આવેલાં બર્ગી, ઓમકારેશ્વર, ઇન્દિરાસાગર ડેમના પાવરહાઉસ ચાલુ હોવાથી સરદાર સરોવરમાં પાણી આવી રહ્યું છે. સરદાર સરોવરમાં 33 હજાર કયુસેક પાણીની આવક છે જેની સામે ડેમના પાવરહાઉસ ચાલુ કરી 40 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રીવરબેડ પાવરહાઉસના ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં હોવાથી વીજ ઉત્પાદન બાદ પાણી નર્મદા નદીમાં ભળી રહ્યું છે. કોઝવે હાલ 3 મીટરની સપાટીથી ઓવરફલો થઇ રહ્યો છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow