Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
positive

ગાયના ગોબરમાંથી બનેલી મોબાઈલ ચિપને મળી આંતરરાષ્ટ્રીય પેટન્ટ

Gujaratnow1 min read
ગાયના ગોબરમાંથી બનેલી મોબાઈલ ચિપને મળી આંતરરાષ્ટ્રીય પેટન્ટ

ભુજ તાલુકાના કુકમાની રામકૃષ્ણ ટ્રસ્ટે કરેલા પ્રયાસોને સફળતા મળી છે અને કચ્છની દેશી ગાયના ગોબરમાંથી બનેલી મોબાઈલ ચિપને આંતરરાષ્ટ્રીય પેટન્ટ અપાઇ છે. કુકમામાં ગૌવિજ્ઞાન માટે સમર્પિત સંસ્થા રામકૃષ્ણ ટ્રસ્ટે 2016માં આ પ્રોડક્ટ પર પેટન્ટ ફાઇલ કરી હતી, જેને સરકારની અને વિજ્ઞાનની મહોર મળી છે.

ગોબર ચિપ મોબાઈલ તેમજ લેપટોપ કે, કોમ્પ્યૂટરમાંથી નીકળતા નુક્સાનકારક રેડિએશન સામે રક્ષણ આપી હકારાત્મક ઉર્જા શરીરને આપતી હોવાનો દાવો સંસ્થા દ્વારા કરાયો હતો. ભારતીય નસ્લની ગાયોના ગોબરમાં હકારાત્મક ઉર્જાનો ભંડાર છે એ વાતને સાબિત કરવા માટે સંસ્થા દ્વારા 2016માં ભારતમાં સંભવત: પ્રથમવાર ગોબર એન્ટી રેડીએશન ચિપનું નિર્માણ કરાયું હતું.

ગોબર ચિપ હકીકતમાં હકારાત્મક ઉર્જા વધારે છે તે માટે બેલાસ્ટિક ગેલવેનો મીટર પર તેની ચકાસણી પણ કરાઇ હતી. વધુમાં 10 લોકો પર તેનું પરીક્ષણ કરાયું હતું. ત્યારબાદ તેના પેટન્ટ માટે અરજી કરાઇ હતી. અરજી બાદ થયેલી કસોટીમાં પાર પડતાં ગાયના વિજ્ઞાનને “cowdung based radiation ane energy masking chips” ના નામે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનોજ સોલંકીએ જણાવ્યું કે, ગોબર ચિપને સરકારી પેટન્ટ મળતા તેને ઓર બળ મળ્યું છે. આવનારા સમયમાં ગાયની ઓળખ વધારે સ્પષ્ટ થશે અને તે રખડતી અટકશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Gujaratnow1 min read

Related News