ભાગેડુ અમૃતપાલના ખાસ પપલપ્રીતની 23 દિવસ બાદ આત્મસમર્પણ પહેલાં ધરપકડ

ભાગેડુ અમૃતપાલના ખાસ પપલપ્રીતની 23 દિવસ બાદ આત્મસમર્પણ પહેલાં ધરપકડ

જલંધરના શાહકોટ વિસ્તારમાં પોલીસને ચકમો આપીને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ સાથે ફરાર થયેલા પપલપ્રીત સિંહની પોલીસે 23 દિવસ પછી ધરપકડ કરી છે. પપલપ્રીત અમૃતસરમાં આત્મસમર્પણ કરવાની યોજના બનાવી રહ્યો હતો પરંતુ તે પહેલાં જ પોલીસે તેને દબોચી લીધો છે. પપલપ્રીત પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લગાવવામાં આવ્યો છે. તેને પણ આસામની દિબ્રૂગઢ જેલમાં મોકલવામાં આવશે. આઈજી સુખચૈન સિંહ ગિલે જણાવ્યું હતું કે પપલપ્રીત વિરુદ્ધ પહેલાંથી જ 6 કેસ નોંધાયેલા છે.

પોલીસ અને કાઉન્ટર ઈન્ટેલિજન્સે સંયુક્ત ઓપરેશનમાં તેની ધરપકડ કરી હતી. 18 માર્ચના રોજ ફરાર થયા બાદ પપલપ્રીત ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સાથે પડછાયાની જેમ ફરતો હતો. પપલપ્રીત અને અમૃતપાલના પટિયાલા, કુરુક્ષેત્ર અને દિલ્હીમાં સાથે હોવાના સીસીટીવી ફૂટેજ અને સેલ્ફી સામે આવી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow