હવેથી તમારી પર પોલીસની રહેશે બાજ નજર, શહેરમાં લગાવાશે ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા

હવેથી તમારી પર પોલીસની રહેશે બાજ નજર, શહેરમાં લગાવાશે ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા

અમદાવાદીઓ પર હવે પોલીસની બાજ નજર રહેશે.  અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઈ મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે. શહેરના તમામ વિસ્તારમાં આ કેમેરા લગાવવામાં આવશે. જેમાં ટ્રાફિકના નિયમોને તોડનારાને ઈ-મેમો આપીને દંડની કાર્યવાહી સઘન બનાવવામાં આવશે.

અમદાવાદીઓ માટે હવે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, હવે અમદાવાદમાં અનેક સ્થળો ઉપર હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે.  ટ્રાફિકના નિયમોને તોડનારાને ઈ-મેમો આપીને દંડની કાર્યવાહી સઘન બનાવવામાં આવશે. ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવાશે. જેને લઈ મ્યુનિ. વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઈનનો કોન્ટ્રાક્ટ અપાશે. આ સાથે કંપનીને 5 વર્ષ માટે આ કામગીરી સોંપવામાં આવશે.

AMC દ્વારા બાઈક શેરિંગ માટે પણ ટેન્ડર મંગાવાયા

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા હવે બાઈક શેરિંગ માટે પણ ટેન્ડર મંગાવાયા. આ સાથે હવે શહેરના તમામ વિસ્તારમાં CCTV કેમેરા લાગશે. અમદાવાદમાં હવે ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવાશે. જેને લઈ મ્યુનિ. વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઈનનો કોન્ટ્રાક્ટ અપાશે.

અકસ્માત ટાળવા નવો અભિગમ

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સરખેજ-ગાંધીનગર હાઈવે પર પણ અકસ્માતો વધી રહ્યા છે. આ તમામની વચ્ચે અમદાવાદ પોલીસે હાઈવે પર સ્પીડ કેમેરા સાથે એક નવતર અભિગમ પણ અપનાવ્યો છે. આ અભિગમ અંતર્ગત હવેથી સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલા તમામ બ્રિજ પર વચ્ચેના ભાગ પર અવરોધો લગાવવામાં આવ્યા છે. આ અવરોધો લગાવવાથી અકસ્માત સમયે બ્રિજ પર વધારે જાનહાનિ સર્જાશે નહીં. સાથો સાથ અકસ્માત સમયે શરીરના ભાગમાં ઈજા પણ ઓછી પહોંચે તે હેતુસર અવરોધો વચ્ચે ડનલોપની ગાદી પણ મુકવામાં આવશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow